જૂનાગઢ: ભવનાથ મંદિરના મહંત બનવા માટે હરીગીરીએ કરોડો રૂપિયા આપ્યા હોવાના આક્ષેપથી ખળભળાટ

જૂનાગઢના ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજી દેહવિલય બાદ મહંતની ગાદી માટે ખેંચતાણ સર્જાઈ છે,જયારે આ વિવાદ વચ્ચે વધુ એક લેટર બોમ્બે સંત સમાજમાં ચકચાર જગાવી છે.

New Update
  • ગિરનાર અંબાજી મંદિરની ગાદી માટે ખેંચતાણ 

  • તનસુખગીરીજીના દેહવિલય બાદ સર્જાયો વિવાદ

  • મહંત મહેશગીરીનાં લેટર બોમ્બ થી ખળભળાટ

  • પત્રના આધારે કરાયો ભ્રષ્ટાચારનો આક્ષેપ

  • મહંતની ગાદી માટે કરોડો રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ     

જૂનાગઢના ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજી ના દેહવિલયને પગલે મહંત પદ માટે શરૂ થયેલી ખેંચતાણમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ ગુરુવારે જૂના અખાડાનો એક લેટર બોમ્બ ફોડ્યો હતો.જેના પગલે સંત સમાજમાં ખળભળાટ મચી ગયો હતો.

જૂનાગઢના ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજી દેહવિલય બાદ મહંતની ગાદી માટે ખેંચતાણ સર્જાઈ છે,જયારે આ વિવાદ વચ્ચે વધુ એક લેટર બોમ્બે સંત સમાજમાં ચકચાર જગાવી છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ ગુરુવારે જૂના અખાડાનો એક લેટર બોમ્બ ફોડ્યો હતો.પત્રકાર પરિષદ યોજીને મહેશગીરીએ એક પત્ર જાહેર કર્યો હતો,જેમાં જણાવવામાં આવ્યું હતું કે હરિગીરીએ ભવનાથ મંદિરના મહંત તરીકે પોતાની કાયમી ધોરણે જૂનાગઢના કલેક્ટર દ્વારા નિમણૂક થાય એ માટે જુદા જુદા 11 મહાનુભાવોને રૂપિયા આપ્યા હતા.જેમાં ભારતીય જનતા પાર્ટીજૂનાગઢના કલેક્ટરો તેમજ ભવનાથના સંતોનો સમાવેશ થાય છે.

આ પત્રની સામે મહેશગીરીએ હરિગીરીને જાહેરમાં એવો સવાલ કર્યો હતો કેઆ પત્ર શું છે એ સ્પષ્ટ કરો. આ પત્ર તમે અખાડામાં દેખાડીને પૈસા ઉપાડ્યા છે કેભવનાથ મંદિરના મહંત બનવા માટે રૂપિયા આપ્યાની સાબિતી ઉભી કરે છેએનો જવાબ આપો.પત્ર જૂના અખાડાના લેટર પેડ પર લખાયો છેજેમાં નીચે અખિલ ભારતીય અખાડા પરિષદના સેક્રેટરી તરીકે હરિગીરીની સહી અને અખાડાનો ગોળ સીક્કો છે.મહંત મહેશગીરીએ ફોડેલા લેટર બોમ્બ બાદ હજી સુધી હરીગીરી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહીં ત્યારે આ પત્ર મહંતની ગાદી માટે કેટલો અસરકારક નીવડશે તે તો આવનાર સમય જ બતાવશે.

Read the Next Article

દેવભૂમિ દ્વારકા : થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ જગત મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા...

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

New Update
  • થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ દેવભૂમિ દ્વારકાના મહેમાન બન્યા

  • હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે ભારત આવ્યા

  • બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિ જગત મંદિરે પધાર્યા

  • ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો

  • બન્ને પક્ષોના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમની આ યાત્રા બન્ને ધર્મો વચ્ચેના ગાઢ સંબંધો અને પરસ્પર સમજણને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. થાઈલેન્ડના ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ સૌપ્રથમ દ્વારક જગત મંદિરમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ દ્રશ્ય તેમની હિન્દુ સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા અને આદરભાવને ઉજાગર કરે છે. ત્યારબાદ, તેમણે શારદાપીઠના બ્રહ્મચારીઓ અને સ્થાનિક ગુગળી બ્રાહ્મણો સાથે ધર્મ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક મૂલ્યો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. આ ચર્ચાઓ દરમિયાન તેમણે બૌદ્ધ પરંપરાઓ અને દર્શનશાસ્ત્ર વિશે પણ માહિતી આપી હતી. જેનાથી બન્ને પક્ષોને એકબીજાના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી હતી.