જુનાગઢ : માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન,ગત વર્ષની સરખામણીએ કેરીની આવકમાં નોંધાયો ઘટાડો

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજા કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. જોકે, આ વર્ષે કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.જેના કારણે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

New Update
  • માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક

  • 200થી 300 બોક્સની નોંધાઈ આવક

  • 10 કિલો બોક્સના હરાજીમાં 1000થી 1500નો ભાવ

  • 10 દિવસ બાદ યાર્ડમાં કેરીની નોંધાશે પુષ્કળ આવક

  • કેસર કેરીની આવક આ વર્ષે ઓછી રહેવાની પણ સંભાવના

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજા કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. જોકેઆ વર્ષે કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.જેના કારણે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ જિલ્લાના તલાળા પંથકમાંથી કેસર કેરીની માર્કેટિંગ યાર્ડમાં આવક શરૂ થઇ છે.વાતાવરણમાં ફેરફાર અને ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું છે. આ કારણે આ વર્ષે બજારમાં કેસર કેરીની આવક ઓછી રહેવાની સંભાવના છે. વેપારીઓના મતે આગામી દિવસોમાં કેરીની આવકમાં વધારો થવાની અપેક્ષા છે. જો કેઓછી આવકને કારણે બજારમાં કેરીના ભાવ સ્થિર રહી શકે છે. આમ છતાં પણ કેરીની ગુણવત્તા જાળવી રાખવામાં આવી રહી છે.

માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 8-10 દિવસથી માત્ર 200-300 બોક્સ કેરીની આવક થઈ રહી છે. આ આંકડો ગત વર્ષની 1500-2000 બોક્સની સરખામણીમાં ઘણો ઓછો છે. હાલમાં 10 કિલોના બોક્સના 1000થી 1500 રૂપિયાના ભાવે કેરી વેચાઈ રહી છે.અને આવનાર સમયમાં કેસીની આવકમાં હજુ વધારો નોંધાવવાની શક્યતા છે.

 

Read the Next Article

તમે જોજો દિલ્હીવાળાની ડિપોઝિટ ડુલ થશે..! : જુનાગઢમાં સી.આર.પાટીલના કેજરીવાલ પર પ્રહાર, ભેંસાણ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભેંસાણ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.

New Update
  • ભેંસાણ ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિ

  • સી.આર.પાટીલ અરવિંદ કેજરીવાલ ઉપર વરસ્યા

  • હારેલા CM ફોર્મ ભરાવવા આવ્યા : સી.આર.પાટીલ

  • અહીં ત્રીજી પાર્ટીને કોઇ જ સ્થાન નથી : કેન્દ્રિય મંત્રી

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભેંસાણ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ વિશેષ ઉપઠિત રહ્યા હતા.

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી હવે અંતિમ પડાવમાં પ્રવેશી રહી છેત્યારે દરેક પક્ષોએ પ્રચારની પાંખો વિસ્તારી છે. વિસાવદર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભેંસાણ ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સી.આર.પાટીલએ આમ આદમી પાર્ટી અને ખાસ કેજરીવાલ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કેજેના લીધે દિલ્હીમાં આખી સરકાર પડી એ હારેલા CM ઇટાલિયાનું ફોર્મ ભરાવવા આવ્યા હતાઅને અહીં આવીને ચેલેન્જ કરતા હતા.

ભેંસાણની ધરતીમાં પરબનું પીર છેસાધુ-સંતોની ભૂમિ છેસાવજની ભૂમિ છે અને જ્યાં આટલા સાવજ હોય ત્યાં ભાજપની જીત નિશ્વિત જ હોય છે. આ કાર્યકર્તા સંમેલનમાં ગુજરાતભરના દિગ્ગજ નેતાઓધારાસભ્યોસાંસદોહોદ્દેદારોએ હાજરી આપી હતી. જુનાગઢ મહાનગરપાલિકાના મેયર અને ચૂંટાયેલા કોર્પોરેટરોની ટીમ પણ સંમેલનમાં જોડાય હતી.