જુનાગઢ : માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન,ગત વર્ષની સરખામણીએ કેરીની આવકમાં નોંધાયો ઘટાડો

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજા કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. જોકે, આ વર્ષે કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.જેના કારણે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

New Update
  • માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક

  • 200થી 300 બોક્સની નોંધાઈ આવક

  • 10 કિલો બોક્સના હરાજીમાં 1000થી 1500નો ભાવ

  • 10 દિવસ બાદ યાર્ડમાં કેરીની નોંધાશે પુષ્કળ આવક

  • કેસર કેરીની આવક આ વર્ષે ઓછી રહેવાની પણ સંભાવના

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજા કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. જોકેઆ વર્ષે કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.જેના કારણે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ જિલ્લાના તલાળા પંથકમાંથી કેસર કેરીની માર્કેટિંગ યાર્ડમાં આવક શરૂ થઇ છે.વાતાવરણમાં ફેરફાર અને ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું છે. આ કારણે આ વર્ષે બજારમાં કેસર કેરીની આવક ઓછી રહેવાની સંભાવના છે. વેપારીઓના મતે આગામી દિવસોમાં કેરીની આવકમાં વધારો થવાની અપેક્ષા છે. જો કેઓછી આવકને કારણે બજારમાં કેરીના ભાવ સ્થિર રહી શકે છે. આમ છતાં પણ કેરીની ગુણવત્તા જાળવી રાખવામાં આવી રહી છે.

માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 8-10 દિવસથી માત્ર 200-300 બોક્સ કેરીની આવક થઈ રહી છે. આ આંકડો ગત વર્ષની 1500-2000 બોક્સની સરખામણીમાં ઘણો ઓછો છે. હાલમાં 10 કિલોના બોક્સના 1000થી 1500 રૂપિયાના ભાવે કેરી વેચાઈ રહી છે.અને આવનાર સમયમાં કેસીની આવકમાં હજુ વધારો નોંધાવવાની શક્યતા છે.

Read the Next Article

અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરાયુ

અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
MixCollage-12-Jul-2025-
અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 34 વર્ષ પૂર્ણ થતાં 35માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય અને સ્માર્ટ બોર્ડ તેમજ વૈજ્ઞાનિક રીતે આગળ વધે તે માટે આજરોજ કે.પટેલ કેમો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આઉટ ડોર જીમનાસ્ટિકનું આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.જ્યારે સુભશ્રી પીગમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી બનાવેલ સ્માર્ટ ક્લાસીસ તેમજ એસ્ટ્રોનોમી ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીતેન્દ્ર એમ.પટેલ,શ્રી કે શ્રીવત્સન,શીતલ નરેશ પટેલ અને પારુલ ચેતન વઘાસિયા તેમજ સંસ્કારદીપ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories