જૂનાગઢમાં કારમાં આગ લાગતા નાસભાગ, પાલિકાની આગ બુઝાવવાની કળાથી આશ્ચર્ય

જૂનાગઢના માણાવદરમાં મારૂતિ સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી જતા નાસભાગ મચી ગઈ હતી,જોકે ભડકે બળતી કાર પર ફાયરબ્રિગેડના અભાવને કારણે નગરપાલિકા દ્વારા પાણીનો મારો ચલાવવા માટેની પદ્ધતિ ચર્ચાનો વિષય બન્યો હતો. 

New Update

જૂનાગઢના માણાવદરમાં કારમાં લાગી આગ

સ્ટેટ હાઇવે પર સ્વિફ્ટ કાર સળગી ઉઠી

કાર ચાલકની સમય સૂચકતાથી જાનહાનિ ટળી

નગરપાલિકાના ટેન્કરથી આગ બુઝાવવામાં આવી 

નગરપાલિકા પાસે ફાયર બ્રિગેડનો અભાવ 

જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં મારૂતિ સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી જતા નાસભાગ મચી ગઈ હતી,જોકે ભડકે બળતી કાર પર ફાયરબ્રિગેડના અભાવને કારણે નગરપાલિકા દ્વારા પાણીનો મારો ચલાવવા માટેની પદ્ધતિ ચર્ચાનો વિષય બન્યો હતો. 
Advertisment
જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં મારૂતિ સ્વિફ્ટ કારનાં બોનેટ માંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા,જે અંગેની જાણ કાર ચાલકને થતા સમય સુચકતા વાપરીને કાર ચાલક કારમાંથી બહાર નીકળી ગયો હતો. અને જોતજોતામાં કાર ભડકે બળવા લાગી હતી.જોકે નગરપાલિકા પાસે કે તંત્ર પાસે ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી બર્નિંગ કારની આગને કાબુમાં લેવા માટેનો પણ એક પ્રશ્ન ઉભો થયો હતો,પરંતુ માણાવદર નગરપાલિકા દ્વારા પાણીનું ટેન્કર મોકલીને સળગતી કાર પર પાણીનો મારો કરવાની હાસ્યાસ્પદ પદ્ધતિ ભારે ચર્ચાનો વિષય બની હતી.કારમાં આગ લાગવાની ઘટના કદાચ સામાન્ય લાગતી હશે પરંતુ જો કોઈ મોટી ઘટના સર્જાય તો બચાવ કામગીરી કરવી પણ અશક્ય બની શકે છે,અને આ ઘટના વિકસિત ગુજરાતની ચાળી ખાઈ રહી છે. 
Read the Next Article

વલસાડ : દાદરાનગર હવેલીમાં સામૂહિક આપઘાતની આશંકા, પિતા અને બે બાળકોના મૃતદેહ મળતા ચકચાર

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા

New Update
  • સામુહિક આપઘાતની ઘટનાથી ચકચાર

  • પિતા અને બે બાળકોના મળ્યા મૃતદેહ

  • પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

  • પોલીસ તપાસમાં સુસાઈડ નોટ મળી આવી 

  • આપઘાત પાછળનું કારણ જાણવા કવાયત  

Advertisment

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છેજેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસ તપાસમાં સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટ મૃત્યુ પાછળના કારણો પર પ્રકાશ પાડી શકે છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસારપોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઇડ નોટની તપાસ બાદ જ આ ઘટના સામૂહિક આપઘાત છે કે કોઈ અન્ય કારણથી મૃત્યુ થયું છેતે અંગેની હકીકત બહાર આવશે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.