જૂનાગઢ: સાધુ સંતો વચ્ચેના વિવાદમાં કલેકટરે રેડ્યું ઠંડુ પાણી

જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરના મહંતનો દેહવિલય થયા બાદ ગાદીને લઈને સાધુ સંતો વચ્ચે વિવાદ વકર્યો હતો.જોકે જિલ્લા કલેકટરે હાલ પૂરતો આ મામલે હસ્તક્ષેપ કરીને વિવાદ ને શાંત પડી દીધો છે.

New Update
  • જૂનાગઢ મહંતની ગાદી માટે વિવાદનો મામલો

  • જિલ્લા કલેકટર દ્વારા લેવામાં આવ્યો નિર્ણય

  • વકરેલા વિવાદને શાંત પાડવા માટે લેવાયો નિર્ણય

  • મંદિરના વહીવટદાર તરીકે મામલતદારની કરાઈ વરણી

  • મહંતના વાયરલ પત્ર મુદ્દે પણ તપાસ શરૂ કરાઈ 

જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરના મહંતનો દેહવિલય થયા બાદ ગાદીને લઈને સાધુ સંતો વચ્ચે વિવાદ વકર્યો હતો.જોકે જિલ્લા કલેકટરે હાલ પૂરતો આ મામલે હસ્તક્ષેપ કરીને વિવાદ ને શાંત પડી દીધો છે.

જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરીના દેહવિલય બાદ મહંતની ગાદી મુદ્દે સાધુ સંતોમાં વિવાદનો જન્મ થયો હતો,અને એક પછી એક નવા નવા વિવાદો શરુ થતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.સાધુ સંતોના ચાલી રહેલા વિવાદ મામલે આજે જિલ્લા કલેકટર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.સમગ્ર મામલે આજે કલેકટર અનિલ રાણાવસિયા દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી હતી કે અંબાજી મંદિરગુરુ દત્તાત્રેય અને ભીડભંજન મંદિરમાં વહીવટદારની જવાબદારી જૂનાગઢ મામલતદારની રહેશે.અને તેમને આધીન બધું રહેશે.જ્યાં સુધી આગામી દિવસોમાં આ મંદિરમાં મહંતના નવા નામની જાહેરાત ન કરાય ત્યાં સુધી સમગ્ર મંદિરના વહીવટની જવાબદારી જૂનાગઢ મામલતદારની રહેશે.વધુમાં ભવનાથના મહંત હરીગીરીની સામે જે આક્ષેપ થયા છે તેની તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું  પણ તેઓએ જણાવ્યું હતું.ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગિરી બાપુ દ્વારા જે પત્ર વાયરલ કરવામાં આવ્યો છે તેમાં ભવનાથ મંદિરના મહંત તરીકે બેસવા હરીગીરી બાપુએ પૈસાની લેતી દેતી કરી હોવાના પત્રમાં આક્ષેપ કર્યો હતો.જે ઘટનામાંFSLની પણ મદદ લેવામાં આવશે.

Read the Next Article

દાહોદ : ભાજપના નેતાની સ્કૂલમાં જ બાળકોના વાલીઓ લૂંટાયા, RTEના નિયમો વિરુદ્ધ 80 વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ભાજપ નેતાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલે RTEના નિયમોનું  ઉલ્લંઘન કરીને 80 વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે

New Update
  • દાહોદની સ્કૂલમાંRTE નિયમના ધજાગરા

  • ભાજપ નેતાની સ્કૂલે જ તોડ્યો નિયમ

  • નગરપાલિકાના પ્રમુખની સ્કૂલે તોડ્યો નિયમ  

  • 80 વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી સ્કૂલ ફી

  • PM મોદી અને કલેકટરને કરાઈ ફરિયાદ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ભાજપ નેતાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલેRTEના નિયમોનું  ઉલ્લંઘન કરીને 80 વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે,હાલ જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયાની રત્નદીપ સ્કૂલે સરકારનાRTE નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરીને તમામ હદ વટાવી દીધી છે. આ સ્કૂલેRTEના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી હોવાનું સામે આવ્યું છે. આવા એકબે નહીંપણ 80થી વધુ વિદ્યાર્થીઓ છે. ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એ વાત સ્વીકારી છે કે આ સ્કૂલેRTE એક્ટનો ભંગ કર્યો છે.

આ સ્કૂલ બીજા કોઇની નહીંપણ ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી રાજ કરનારા ભાજપના નેતાની છે. રત્નદીપ સ્કૂલના ટ્રસ્ટી ધર્મેશ કલાલ ભાજપના નેતા છે અને દેવગઢબારિયા નગરપાલિકાના પ્રમુખ છે.

એક વિદ્યાર્થીનેRTE એક્ટ હેઠળ ધોરણ 1થી રત્નદીપ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન મળ્યું હતુંપરંતુ સ્કૂલે તેની પાસેથી ફી માંગી હતી. ફી ન ભરતા સ્કૂલે તેના વાલીને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી તમારી બાકીની રકમ નહીં ભરો ત્યાં સુધી તમારા દીકરાને સ્કૂલમાં બેસવા દેવામાં નહીં આવે. ત્યાર પછી વિદ્યાર્થીને ઘરે બેસીને ભણવાની ફરજ પડી હતી. તેના વાલીએ 10મી જુલાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજુઆત કરી હતી.

આ પત્રમાં વાલીએ દાવો કર્યો કેRTE એક્ટ હેઠળ એડમિશન લીધું હોવા છતાં સ્કૂલે પહેલા ધોરણથી જ ફી માગવાનું ચાલુ કર્યું હતુંજેના કારણે અત્યાર સુધીમાં તેમણે અલગ અલગ સમયે કુલ 18 હજાર રૂપિયા ફી ભરી છે. તેમ છતાં હજુ પણ સ્કૂલ તરફથી ફી માંગવામાં આવે છે.

ગેરકાયદે ફી વસૂલતી આ સ્કૂલ માત્ર આ એક જ વિદ્યાર્થી નહીંપણ 80થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી આ પ્રકારની ફી વસૂલ કરી છે.ઘટના પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે,જોકે હવે જોવું એ રહ્યું કે ભાજપના નેતાની  સ્કૂલ છે તો સરકારી તંત્ર તપાસ બાદ શું કાર્યવાહી કરે છે.