જૂનાગઢ: અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતાની સાથે જ ગાદીને લઇને વિવાદ

જુનાગઢ ગિરનારના અંબાજી મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા હતા,ત્યારે ગાદીને લઈને સંતો અને શિષ્યો વચ્ચે વિવાદ સર્જાયો છે.

New Update
  • ગિરનારના અંબાજી મંદિરના મહંતની ગાદીનો વિવાદ

  • તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતા ગાદી માટેની ખેંચતાણ  

  • ભવનાથના મહંત સહિતનાઓએ પ્રેમગીરીની મહંત તરીકે કરી જાહેરાત

  • બ્રહ્મલીન તનસુખગીરીના સમર્થકોએ કર્યો ઉગ્ર વિરોધ

  • તનસુખગીરીના પરિવારજનોને મહંત પ્રેમગીરીની જાહેરાત સામે ઉગ્ર રોષ

Advertisment W3.CSS

જુનાગઢ ગિરનારના અંબાજી મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા હતા,ત્યારે ગાદીને લઈને સંતો અને શિષ્યો વચ્ચે વિવાદ સર્જાયો છે.

જૂનાગઢ  ગિરનાર પર્વતના અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ તારીખ 19મી નવેમ્બરના રોજ બ્રહ્મલોક પામ્યા બાદ હાલ ગાદી માટે વિરોધનો વંટોળ ફૂંકાયો છેભવનાથના મહંત સહિતનાઓએ પ્રેમગીરીની મહંત તરીકે જાહેરાત કરતા વિવાદ સર્જાયો છે. આ મુદ્દે બ્રહ્મલીન તનસુખગીરીના  સમર્થકોએ ઉગ્ર વિરોધ કર્યો છે,મહંત તનસુખગીરીના પરિવારજનોને મહંત પ્રેમગીરીની જાહેરાત સામે ઉગ્ર રોષ પ્રગટ કર્યો છેઆજે અંબાજીના મહંત બ્રહ્મલીન તનસુખગીરી બાપુની ધૂળ લોટ વિધિ હતી.

જ્યાં ભીડભંજન ખાતે સમગ્ર વિધિ કરવામાં આવી હતી,અને ત્યાં જ ગાદી માટે  જાહેરાત થતા વિવાદ સર્જાયો છે,બ્રહ્મલીન તનસુખગીરી બાપુના પરિજનોની માંગ છે કે અમારી પરંપરા માંથી અંબાજી મંદિરની ગાદી આપવા  દુષ્યંતગીરીએ માંગ કરી છે.અન્ય મહંતની ચાદર વિધિ કે જાહેરાત નહી સ્વીકારાય તનસુખગીરીની પરંપરાને યોગ્ય ન્યાય નહીં મળે તો સમગ્ર પરિવારે આપઘાત કરવાની ચીમકી આપી હતી.જો કે હજુ આ મામલે મોટો વિવાદ સર્જાય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

Read the Next Article

અંકલેશ્વર: જીતાલી ગામેથી ગાંજાનો જથ્થો ઝડપાયો, રૂ.54 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ એસ.ઓ જીએ  અંકલેશ્વરના જીતાલી ગામની આલીશાન સોસાયટીમાંથી ગાંજાના જથ્થા સહિત 54.34 લાખનો મુદ્દામાલ સાથે બે મહિલાઓ આરોપીને ઝડપી પાડી હતી.

New Update
  • ભરૂચ સ્પેશ્યલ ઓપરેશ ગ્રુપની કાર્યવાહી

  • અંકલેશ્વરના જીતાલી ગામેથી ઝડપાયો ગાંજો

  • 2 મહિલા આરોપીઓની ધરપકડ

  • રૂ.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

  • બન્નેના પતિ વોન્ટેડ જાહેર

Advertisment W3.CSS
ભરૂચ એસ.ઓ જીએ  અંકલેશ્વરના જીતાલી ગામની આલીશાન સોસાયટીમાંથી ગાંજાના જથ્થા સહિત 54.34 લાખનો મુદ્દામાલ સાથે બે મહિલાઓ આરોપીને ઝડપી પાડી હતી.
ભરૂચ એસ.ઓ.જીના પી.એસ.આઈ એમ.એચ.વાઢેર સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામની આલીશાન સિટીમાં રહેતો સુભાષ શિવચંદ યાદવ અને તેનો બનેવી કુંદન મદન રાય તેની પત્ની સાથે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે આલીશાન સિટીમાં દરોડા પાડ્યા હતા પોલીસ ને 2 સ્થળોએથી 2.221 કિલો ગાંજો મળી આવ્યો હતો.પોલીસે 22 હજારથી વધુની કિંમતનો ગાંજો અને રોકડા 27.17 લાખ તેમજ સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 54.34 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સુમન સુભાષ શિવચંદ યાદવ અને સંજુદેવી કુંદન મદન રાયને ઝડપી પાડી હતી.જ્યારે બેનેના પતિઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.