જૂનાગઢ: અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતાની સાથે જ ગાદીને લઇને વિવાદ

જુનાગઢ ગિરનારના અંબાજી મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા હતા,ત્યારે ગાદીને લઈને સંતો અને શિષ્યો વચ્ચે વિવાદ સર્જાયો છે.

New Update
  • ગિરનારના અંબાજી મંદિરનામહંતની ગાદીનો વિવાદ

  • તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતાગાદી માટેનીખેંચતાણ

  • ભવનાથના મહંત સહિતનાઓએ પ્રેમગીરીની મહંત તરીકે કરી જાહેરાત

  • બ્રહ્મલીન તનસુખગીરીના સમર્થકોએ કર્યો ઉગ્ર વિરોધ

  • તનસુખગીરીના પરિવારજનોને મહંત પ્રેમગીરીની જાહેરાત સામે ઉગ્ર રોષ

જુનાગઢ ગિરનારના અંબાજી મહંત તનસુખગીરીબાપુ બ્રહ્મલીન થયા હતા,ત્યારે ગાદીને લઈને સંતો અને શિષ્યો વચ્ચે વિવાદસર્જાયો છે.

જૂનાગઢગિરનાર પર્વતનાઅંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ તારીખ 19મી નવેમ્બરનારોજબ્રહ્મલોક પામ્યા બાદ હાલ ગાદી માટે વિરોધનો વંટોળ ફૂંકાયો છેભવનાથના મહંત સહિતનાઓએ પ્રેમગીરીની મહંત તરીકે જાહેરાત કરતા વિવાદ સર્જાયો છે. આ મુદ્દે બ્રહ્મલીન તનસુખગીરીનાસમર્થકોએ ઉગ્ર વિરોધ કર્યો છે,મહંત તનસુખગીરીના પરિવારજનોને મહંત પ્રેમગીરીની જાહેરાત સામે ઉગ્ર રોષ પ્રગટ કર્યો છેઆજે અંબાજીના મહંત બ્રહ્મલીન તનસુખગીરી બાપુની ધૂળ લોટ વિધિ હતી.

જ્યાં ભીડભંજન ખાતે સમગ્ર વિધિ કરવામાં આવી હતી,અને ત્યાં જ ગાદી માટેજાહેરાત થતા વિવાદ સર્જાયો છે,બ્રહ્મલીન તનસુખગીરી બાપુના પરિજનોની માંગ છે કે અમારી પરંપરા માંથી અંબાજી મંદિરની ગાદી આપવાદુષ્યંતગીરીએ માંગ કરી છે.અન્ય મહંતની ચાદર વિધિ કે જાહેરાત નહી સ્વીકારાય તનસુખગીરીની પરંપરાને યોગ્ય ન્યાય નહીં મળે તો સમગ્ર પરિવારે આપઘાત કરવાની ચીમકી આપી હતી.જો કે હજુ આ મામલે મોટો વિવાદ સર્જાય તેવી શક્યતાનેધ્યાનમાં રાખીને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.