-
વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યું આયોજન
-
રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ અપાય
-
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
-
કરોડોના વિકાસ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત, ઈ-લોકાર્પણ કરાયું
-
બીજ નિગમ ગોડાઉન, BRC ભવન અને શાળાનો સમાવેશ
જુનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 57.13 કરોડના વિકાસ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને 36.95 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જુનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં રૂ. 94 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ રૂ. 36.95 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઈ-લોકાર્પણ સામેલ છે. જેમાં વંથલી તાલુકાનું બીજ નિગમ ગોડાઉન, જુનાગઢ શહેરનું BRC ભવન અને કેશોદ ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કૂલનો સમાવેશ થાય છે. આમ કુલ રૂ. 94 કરોડના વિકાસ કાર્યોની વિસાવદરને મુખ્યમંત્રીએ ભેટ આપી છે.