જુનાગઢ : પ્રથમવાર 16મી સિંહ ગણતરીમાં AI ટેકનોલોજીનો ઉપયોગ, સાસણ સિંહ સદનથી કર્મચારીઓને રવાના કરાયા...

સિંહોની જનસંખ્યા માટે 5 વર્ષે એકવાર યોજાતી વસ્તી ગણતરીનો 16મો તબક્કો આજે સાસણ ગીર ખાતેથી શરૂ થયો છે. રાજ્યના વનમંત્રી મુળુ બેરાએ લીલી ઝંડી આપી સિંહ ગણતરી માટે કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા

New Update
  • પ્રથમવાર સિંહ ગણતરીમાં AI ટેકનોલોજીનો કરાશે ઉપયોગ

  • 11 જિલ્લામાં 16મી સિંહ વસ્તી ગણતરીનું આયોજન કરાયું

  • વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ આપી લીલી ઝંડી

  • સાસણ સિંહ સદનથી સિંહ ગણતરી માટે કર્મચારી રવાના

  • ડિજિટલ કેમેરા, GPS , રેડિયો કલર સહિતનો ઉપયોગ કરાયો 

ગુજરાતના ગૌરવ અને એશિયાટિક સિંહોની જનસંખ્યા માટે 5 વર્ષે એકવાર યોજાતી વસ્તી ગણતરીનો 16મો તબક્કો આજે સાસણ ગીર ખાતેથી શરૂ થયો છે. રાજ્યના વનમંત્રી મુળુ બેરાએ લીલી ઝંડી આપી સિંહ ગણતરી માટે કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા હતા.

વનમંત્રીએ માહિતી આપી હતી કે10 મેના બપોરે 2 વાગ્યાથી 11 મેના બપોર સુધી પ્રાથમિક સીધી દૃશ્યાવલોકન પદ્ધતિથી સિંહ ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ 12 અને 13 મેના રોજ અંતિમ ગણતરીનો તબક્કો હાથ ધરાશે. આ સમગ્ર અભિયાન 13મે સુધીમાં પૂર્ણ કરવાની તૈયારી કરવામાં આવી છે.

આ વખતે 16મી વસ્તી ગણતરી માટે રાજ્યના કુલ 35 હજાર ચોરસ કિમી વિસ્તારને આવરી લેતા 11 જિલ્લાઓ અને 58 તાલુકાઓ પસંદ કરવામાં આવ્યા છે. આ ગણતરીમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન અને બ્લોક કાઉન્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને કામગીરી ચાલી રહી છે. વિસ્તૃત ગણતરી વ્યવસ્થાપન માટે 735 ગણતરી યુનિટો112 સબ ઝોન32 ઝોન અને 8 રિજન નક્કી કરવામાં આવ્યા છે.

દરેક ક્ષેત્રમાં નિષ્ણાત અધિકારીઓ અને તાલીમપ્રાપ્ત કર્મચારીઓની ટીમ નિમવામાં આવી છે. જોકેઆ વખતે સૌપ્રથમ વાર ડિજિટલ કેમેરાથી લઈને AI આધારિત સોફ્ટવેર સુધીનો ઉપયોગ કરી સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે. વન વિભાગે આ વર્ષે સિંહ ગણતરીને વધુ આધુનિક બનાવવાની દિશામાં નોંધપાત્ર પગલા લીધા છે.

જેમાં ડિજિટલ કેમેરા અને કેમેરા ટ્રેપ, GPS અને GIS ટેકનોલોજીરેડિયો કોલરિંગ પદ્ધતિ, AI આધારિત ડેટા વિશ્લેષણ સોફ્ટવેરનો ઉપયોગ કરશે. આ ટેકનિકલ માહિતીનું સંકલન અને વિશ્લેષણ સાસણ સ્થિત હાઇડ્રેક મોનીટરીંગ યુનિટ દ્વારા કરવામાં આવશેજે સમગ્ર અભિયાનના કેન્દ્રીય સમન્વય કેન્દ્ર તરીકે કાર્ય કરે છે.

Read the Next Article

રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરાઇ

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

New Update
વરસાદ

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે.

તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં ગાજ વીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, સુરત, નવસારી, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ અને પોરબંદરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને બોટાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તબાહી મચાવી દીધી છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ભરાયા છે, જેમાં કેટલાકને હાઇ એલર્ટ અને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં 11 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 13 ડેમ એલર્ટ પર તો 10 જળાશય વૉર્નિંગ લેવલ પર મુકાયા છે. રાજ્યના 9 જળાશય 100 ટકા ભરાયા છે.