-
માર્કેટીંગ યાર્ડમાં તેલીબિયાં પાકની મબલખ આવક
-
મગફળી અને સોયાબીનની આવકમાં વધારો
-
ખેડૂતોને મળી રહ્યા છે પોષણક્ષમ ભાવ
-
રોજના 5 હજાર ગુણીની નોંધાય છે આવક
-
યાર્ડમાંથી મગફળી સહિતના પાકો કરાશે એક્સપોર્ટ
જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં હાલ મગફળી તેમજ સોયાબીનની આવક મબલખ થઈ રહી છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ સારી ક્વોલિટી તેમજ નબળી ક્વોલિટીના યોગ્ય પ્રમાણમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે.
આ યાર્ડમાં જૂનાગઢ,અમરેલી અને ગીર સોમનાથ તેમજ પોરબંદર તાલુકાના ખેડૂતો પોતાની જણસ વેચવા આવતા થયા છે, હાલ મગફળીની રોજની 5 થી 6 હજાર જેટલી ગુણની આવક નોંધાઈ રહી છે.અને પ્રતિ મણ 900 થી લઈ 1200 રૂપિયા સુધીના ભાવો ખેડૂતોને મળી રહ્યા છે.જેમાં 66 નંબર મગફળીના ભાવ અન્ય જાત કરતા વધારે મળે છે, તો બીજી તરફ સોયાબીનનાં પ્રતિ મણે 800 થી લઈ 980 સુધીના ભાવો મળી રહ્યા છે, જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં હાલ વજન માટે ઉપયોગમાં લેવાતા ઘોડી કાંટાને બદલે ઇલેક્ટ્રિક વજન કાંટાનો ઉપયોગ કરાતો હોવાથી ખેડૂતોને યોગ્ય ન્યાય મળી રહ્યો છે, આ વર્ષે સૌરાષ્ટ્રમાં સોયાબીનની આવક સૌથી વધુ જોવા મળી રહી છે, આ યાર્ડમાંથી મગફળી સહિતના પાકો એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે.