જૂનાગઢ: ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફટાકડાના તણખા ઉડતા કચરાના ઢગલામાં લાગી વિકરાળ આગ

જૂનાગઢમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફટાકડાના તણખામાંથી કચરાના ઢગલામાં વિકરાળ આગ લાગી હતી,જેના કારણે ધુમાડાના ગોટે ગોટા વાતાવરણમાં ઉડ્યા હતા.

New Update

જૂનાગઢમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફટાકડાના તણખામાંથી કચરાના ઢગલામાં વિકરાળ આગ લાગી હતી,જેના કારણે ધુમાડાના ગોટે ગોટા વાતાવરણમાં ઉડ્યા હતા.

જૂનાગઢમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફટાકડાની આતશબાજી સાથે દિવાળી પર્વની ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી,જોકે અચાનક ફટાકડા માંથી ઉડેલા તણખા રામનાથ મંદિરની પાછળના ભાગમાં આવેલા કચરાના મોટા ઢગલામાં પડ્યા હતા,અને  આગ લાગી ગઈ હતી.
જોતજોતામાં આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું,જેના કારણે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી,અને સૌના જીવ તાળવે ચોંટ્યા હતા.ઘટનાની જાણ પોલીસ તેમજ ફાયર સ્ટેશનમાં કરવામાં આવી હતી.આગ અંગેનો કોલ મળતાની સાથે જ પોલીસ કાફલો અને ફાયર લાશ્કરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા,અને પોલીસે લોક ટોળાને દૂર ખસેડ્યા હતા, જ્યારે ફાયર લાશ્કરોએ ત્રણ જેટલા ફાયર ટેન્ડરની મદદથી આગ પર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ કાબુ મેળવવામાં આવ્યો હતો.
કચરાના ઢગલામાં પ્લાસ્ટિકનો કચરો મોટા પ્રમાણમાં હોવાના કારણે આગ પર કાબૂ મેળવ્યા બાદ પણ ધુમાડા નીકળતા રહ્યા હતા.ઘટનાની ગંભીરતા પારખીને ખુદ ધારાસભ્ય સંજય કોરડીયા પણ દોડી આવ્યા હતા,અને ઘટનાનો ચિતાર મેળવ્યો હતો.પાલિકાતંત્ર દ્વારા કચરાના ઢગલાને સુરક્ષા દીવાલથી કોર્ડન કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકોમાં ઉઠવા પામી હતી. 
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.