જુનાગઢ : કેશોદમાં તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે નરાધમે આચર્યું દુષ્કર્મ

પંચાળા ગામની મહિલા સાથે ગામના જ ઈસમે જ તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરી મહિલાને થપ્પડ મારી દુષ્કર્મ આચર્યું પોલીસે ફરિયાદ દર્જ કરીને શરૂ કરી તપાસ

New Update
  • કેશોદમાં અંધશ્રદ્ધાનો ભોગ બની મહિલા

  • તાંત્રિક વિધિના બહાને નરાધમે આચર્યું દુષ્કર્મ

  • નરાધમે મહિલાને મારમારી આચર્યું દુષ્કર્મ

  • ઘરમાં સુખ શાંતિ,ધંધામાં બરકત માટે તાંત્રિકનો કર્યો હતો સંપર્ક

  • પોલીસે ફરિયાદ દર્જ કરીને શરૂ કરી તપાસ

જૂનાગઢ જિલ્લાના કેશોદના પંચાળા ગામે તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી ગામના જ ઈસમે દુષ્કર્મ આચર્યું હતું,પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પંચાળા ગામે તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે.

ગત શુક્રવારના રોજ પંચાળા ગામની મહિલા સાથે ગામના જ ઈસમે જ તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરી મહિલાને થપ્પડ મારી દુષ્કર્મ આચર્યું હતું. ઘરમાં સુખ શાંતિ અને ધંધા રોજગારીમાં આવે તે માટે મહિલાએ તાંત્રિક વિધિ કરનાર રણજીત પરમાર સાથે વાત કરી હતી. ત્યારે રણજીત પરમાર તાંત્રિક વિધિ કરવા ગત શુક્રવારની રાત્રીએ મહિલાના ઘરે પહોંચ્યો હતો.

જ્યાં આરોપી રણજીત પરમારે મહિલાને થપ્પડ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.ભોગ બનનાર મહિલાએ આ સમગ્ર બાબતેની જેઠાણી અને પતિને જણાવતા તેમને હિંમત આપતા મહિલાએ સૌ પ્રથમ કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી,અને ત્યારબાદ તાંત્રિક વિધિ કરનાર આરોપી રણજીત પરમાર વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે હાલ કેશોદ પોલીસે આરોપી રણજીત  પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

કચ્છમાં ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરાઈ

વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે...

New Update
  • ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

  • 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ

  • ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી હેરિટેજ સાઇટ જાહેર

  • દરિયા કિનારે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળ્યા

  • પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું

Advertisment

કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી’ સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે.

કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ છે. કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોયત્યાં લીલાછમ મેન્ગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે. આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટતરીકે જાહેર કરવામાં આવી છે.

આ વિસ્તારમાં'એવિસેનીયા મરીનાનામની મેન્ગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથીપરંતુ 20 પ્રવાસી અને 25 સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે. જેમાં ફ્લેમિંગોહેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત-સુનામી જેવી આફતો વખતે કુદરતી દીવાલનું કામ કરે છે.