-
કેશોદમાં અંધશ્રદ્ધાનો ભોગ બની મહિલા
-
તાંત્રિક વિધિના બહાને નરાધમે આચર્યું દુષ્કર્મ
-
નરાધમે મહિલાને મારમારી આચર્યું દુષ્કર્મ
-
ઘરમાં સુખ શાંતિ,ધંધામાં બરકત માટે તાંત્રિકનો કર્યો હતો સંપર્ક
-
પોલીસે ફરિયાદ દર્જ કરીને શરૂ કરી તપાસ
જૂનાગઢ જિલ્લાના કેશોદના પંચાળા ગામે તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી ગામના જ ઈસમે દુષ્કર્મ આચર્યું હતું,પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પંચાળા ગામે તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે.
ગત શુક્રવારના રોજ પંચાળા ગામની મહિલા સાથે ગામના જ ઈસમે જ તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરી મહિલાને થપ્પડ મારી દુષ્કર્મ આચર્યું હતું. ઘરમાં સુખ શાંતિ અને ધંધા રોજગારીમાં આવે તે માટે મહિલાએ તાંત્રિક વિધિ કરનાર રણજીત પરમાર સાથે વાત કરી હતી. ત્યારે રણજીત પરમાર તાંત્રિક વિધિ કરવા ગત શુક્રવારની રાત્રીએ મહિલાના ઘરે પહોંચ્યો હતો.
જ્યાં આરોપી રણજીત પરમારે મહિલાને થપ્પડ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.ભોગ બનનાર મહિલાએ આ સમગ્ર બાબતેની જેઠાણી અને પતિને જણાવતા તેમને હિંમત આપતા મહિલાએ સૌ પ્રથમ કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી,અને ત્યારબાદ તાંત્રિક વિધિ કરનાર આરોપી રણજીત પરમાર વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે હાલ કેશોદ પોલીસે આરોપી રણજીત પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.