જૂનાગઢ : ગીર જંગલમાં શોકનો માહોલ,"જય-વીરુ"ની અલવિદા, ઇન ફાઇટમાં ઈજાગ્રસ્ત થયા બાદ લીધા અંતિમ શ્વાસ

ગીર જંગલમાં સતત આધીપત્ય ધરાવનાર સાવજની જય અને વીરુની જોડીએ અલવિદા કહી દીધું છે. ઈન ફાઇટમાં એકાદ મહિના પહેલા વુરૂનું મોત નીપજ્યું હતું,

New Update
  • ગીર જંગલમાં જય વીરૂની ગર્જના થઈ ગઈ શાંત

  • ગીરના જય વીરૂની દુઃખદ અલવિદાથી શોક 

  • સાવજોની સાથેની ઈન ફાઇટમાં થયા હતા ઈજાગ્રસ્ત

  • ગીરમાં સાવજોની બેલડી જય વીરૂથી જાણીતી હતી

  • વીરૂનું એક મહિના પહેલા સારવાર દરમિયાન નીપજ્યું હતું મોત

  • હવે જયે પણ રેસ્ક્યુ સેન્ટરમાં લીધા અંતિમ શ્વાસ   

ગીર જંગલમાં સતત આધીપત્ય ધરાવનાર સાવજની જય અને વીરુની જોડીએ અલવિદા કહી દીધું છે. ઈન ફાઇટમાં એકાદ મહિના પહેલા વુરૂનું મોત નીપજ્યું હતું,જ્યારે જયે પણ અંતિમ શ્વાસ લેતા ગીર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવાની સાથે આ બેલડીની ગર્જના પણ શાંત થઇ ગઈ છે.

ગીર જંગલમાં જય વીરૂની ગર્જના વન્ય પ્રાણી જગત સહિત જંગલમાં વસવાટ કરતા લોકોમાં અલગ જ વાતાવરણ સર્જી દે છે.જોકે જંગલમાં જય વીરૂની બેલડી તરીકે પ્રખ્યાત સાવજોની જોડી ગીર પંથકમાં પોતાની એક અલગ શાખ ધરાવતી હતી,પરંતુ જે ગર્જના સંભાળ રહી છે એ હવે હંમેશ માટે શાંત થઇ ગઈ છે.

યુવાન સિંહો સાથે વિસ્તારના કબજાને લઈને ઇન ફાઇટ દરમિયાન જય અને વીરુની લડાઈ થઈ હતી. જેમાં આ બંને સિંહ મિત્રો ઘાયલ થયા હતાપરંતુ ગંભીર રીતે ઘાયલ થયેલા વીરુએ એક મહિના પહેલા સારવાર બાદ અંતે જીવ ત્યાગી દેતા સમગ્ર ગીર પંથકની સાથે વન વિભાગમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે.જ્યારે સારવાર હેઠળ રહેલા જયે પણ આખરે અંતિમ શ્વાસ લીધા હતા.

ભેરુની ભાઈબંધી આ નામથી ગીર જંગલમાં ઓળખાતી જય અને વીરુની જોડી એક દશકાના ગીર જંગલમાં તેમના દ્વારા ઉભા કરવામાં આવેલા આધિપત્યનો વીરુ બાદ જયનું અવસાન થતા અંત આવ્યો હતો. જય અને વીરુની નરસિંહની આ બેલડી વન વિભાગના કર્મચારી અધિકારી અને ગીરના માલધારીઓની સાથે સિંહ પ્રેમીઓમાં પણ ભારે પ્રસિદ્ધ હતી. આવી બેલડી જય વીરુએ જીવ ત્યજી દેતા શોકની લાગણી ઉભી થઈ છે.

યુવાન નરસિંહ સાથે થયેલી ઇન ફાઇટમાં જય અને વીરુએ મક્કમતા પૂર્વ સામનો કર્યો હતોપરંતુ જીવનના અંતિમ સમય તરફ આગળ વધી રહેલા આ બંને ભાઈબંધોની જોડીએ યુવાન સિંહો સામે ટક્કર તો ઝીલી પરંતુ તેમાં જય અને વીરુને ખૂબ ગંભીર ઈજાઓ થવા પામી હતી.જેમાં વીરુની ઈજા સૌથી વધારે ઘાતક સાબિત થઈ હતી અને એક મહિના પહેલા તેનું સારવાર બાદ મોત નીપજ્યું હતું.જ્યારે સારવાર હેઠળ રહેલા જયનો પણ જીવ બચાવવામાં વન વિભાગના તબીબોને નિષ્ફળતા મળી હતી.અને પ્રથમ વીરૂએ એક મહિના અગાઉ ગીરના સંસારમાંથી વિદાય લીધા બાદ પોતાના પરમ મિત્રની વિદાયનો શોક સહનકરીને વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર લઇ રહેલા જયે પણ અંતિમ શ્વાસ લેતા ગીર પંથકમાં ઘેરા શોકનો માહોલ છવાય ગયો હતો.

Latest Stories