AAPના MLA ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ-ભગવંત માન આવશે ગુજરાત, જુઓ શું કહ્યું મનસુખ વસાવાએ..!

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થનમાં આવી રહ્યા છે,

New Update
AAPના MLA ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ-ભગવંત માન આવશે ગુજરાત, જુઓ શું કહ્યું મનસુખ વસાવાએ..!

આગમી તા. 7 જાન્યુઆરીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થનમાં આવી રહ્યા છે, ત્યારે ચૈતર વસાવાને પોતાની પાર્ટીના નેતાઓ જ આગળ કરીને કોર્ટ કેસ બગાડી રહ્યાં હોવા અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભાજપના હોદ્દેદારો અને આગેવાનો સહિત કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું કે, નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને AAP પાર્ટીનું સમર્થન નહીં પણ પોતાની પાર્ટીને ગુજરાતમાં ઉંચી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ઇસુદાન ગઢવી કે, ગોપાલ ઇટાલિયાને ચૈતર વસાવા માટે કોઈ લાગણી ન હોવાનું પણ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું. AAP પાર્ટીના નેતાઓ માત્રને માત્ર ભાજપ અને ભાજપ સરકારને બદનામ કરવાના ઉદ્દેશથી ગુજરાત આવી રહ્યા હોવાની પણ સાંસદે વાત કરી હતી. આગમી તા. 7 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે, ત્યારે AAP પાર્ટીના નેતાઓ લોકોને ખોટી વાતોમાં ભરમાવવા માટે આવી રહ્યા હોવાનું સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું.

તો બીજી તરફ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તા. 7 જાન્યુઆરીના રોજ ડેડીયાપાડામાં એક વિશાળ જનસભાને સંબોધન કરવા જઈ રહ્યા છે, ત્યારે ભાજપના નેતા મનસુખ વસાવા બેબાકળા બન્યા હોવાનું આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ વાત કરતાં જણાવ્યુ હતું. ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાના નિવેદન અંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તીખી પ્રતિક્રિયા આપી હતી.

Read the Next Article

ભરૂચ: વાલિયાથી વાડીને જોડતા મુખ્યમાર્ગ પર વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહારને અસર

ભરૂચના વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

New Update
sdhgifg

ભરૂચના વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

છેલ્લા 4 દિવસથી ભરૂચના વાલિયા તાલુકામાં અવિરત વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થવાનો ઘટનાઓ સામે આવી છે ત્યારે વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થયું છે.જેને પગલે વાહન વ્યવહારને અસર થઈ છે.વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગતરોજ સાંજે વાલિયા પોલીસને જાણ થતાં સ્ટાફ દ્વારા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમરના માર્ગ દર્શન હેઠળ વૃક્ષને માર્ગની બાજુમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Latest Stories