ખેડા : કઠલાલ પાસે એસટી બસ ટ્રકની પાછળ ઘુસી જતાં પડખું ચિરાયું, 32 મુસાફરોને ઇજા
અમદાવાદ - ઈન્દોર હાઇવે પર આવેલાં કઠલાલ પાસે એસટી બસ ટ્રકની પાછળ ઘુસી જતાં બસમાં સવાર 32 જેટલા મુસાફરોને ઇજા પહોંચી
ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમનું સુત્ર છે સલામત સવારી, એસટી હમારી... પણ અમદાવાદ - ઈન્દોર હાઇવે પર આવેલાં કઠલાલ પાસે એસટી બસ ટ્રકની પાછળ ઘુસી જતાં બસમાં સવાર 32 જેટલા મુસાફરોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તો પૈકી બે મુસાફરોની હાલત ગંભીર ગણાવાય રહી છે.
લોકડાઉન બાદ રસ્તાઓ પર વાહનોની સંખ્યા વધતાની સાથે અકસ્માતના બનાવોનો ગ્રાફ પણ ઉંચો જઇ રહયો છે. શનિવારે વહેલી સવારે અમદાવાદ-ઈન્દોર હાઈવે પરના કઠલાલ પાસે અકસ્માત થયો છે. બસમાં બેઠેલા આશરે 32 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. જે પૈકી એક મહિલા અને બસના કંડકટરની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યાં છે. એસટી બસ જામનગરથી ઝાલોદ જઇ રહી હતી. બસના ડ્રાયવરને આગળ ઉભેલી ટ્રક નહિ દેખાતાં બસનો એક ભાગ આખો ચિરાય ગયો હતો. અકસ્માત થયો તે સમયે એસટી બસમાં 40થી વધારે મુસાફરો મુસાફરી કરી રહયાં હતાં.
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMT
પઠાણ ફિલ્મનો વિરોધ કરતાં કચ્છના જાણીતા સંત દેવનાથ બાપુને ધમકી,...
12 Aug 2022 12:29 PM GMTભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા યોજાય તિરંગા...
12 Aug 2022 12:17 PM GMTઅમદાવાદ: બેંક ફ્રોડના ઇતિહાસમાં 7 ભેજાબાજોએ અપનાવી નવા પ્રકારની...
12 Aug 2022 12:01 PM GMTપોલીસની "પરેડ" : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ-અંકલેશ્વરમાં યોજાય...
12 Aug 2022 11:35 AM GMTભરૂચ: જિલ્લા કક્ષાનો વન મહોત્સવ નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની...
12 Aug 2022 11:19 AM GMT