કચ્છ : અંજારમાં જેસલતોરલ સમાધિના વિકાસ અર્થે રાજ્યમંત્રીએ કરી સ્થળ મુલાકાત

New Update

કચ્છ જિલ્લાના અંજાર સ્થિત વીર બાળભૂમિ સ્મારક અને જેસલ-તોરલ સમાધિના વિકાસ બાબતે રાજ્યમંત્રી વાસણ આહિરે સ્થળ મુલાકાત યોજી સમીક્ષા કરી હતી.

Advertisment

સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણ આહિરે અંજાર ખાતે રૂ. ૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વીર બાળભૂમિ પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીની સ્થળ મુલાકાત કરી હતી. આ કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ સાથે સાથે રાજ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટને નવેમ્બર ૨૦૨૧ સુધી પૂર્ણ કરવા સબંધિત એજન્સી અને સરકારી અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

રાજ્યમંત્રી વાસણ આહિરે અંજારના ધાર્મિક સ્થળ જેસલ-તોરલ સમાધિ મંદિરના ફેસ-૨ના પ્રવાસન સ્થળની વિકાસ કામગીરી માટે હયાત દુકાનોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ એ.એ.ઝાલા અને મામલતદાર અફઝલ મંડોરી, નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલને સૂચના આપી હતી. તેમજ કામગીરી થાય ત્યાં સુધી દુકાનદારોને અન્યત્ર રોજગારી ચાલુ રહે તે માટે વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું. રૂ. ૨.૭૬ કરોડના ખર્ચે થનારા ફેસ-૨ના વિકાસ કામોમાં ૫૩ દુકાનો, ગેસ્ટ હાઉસ તેમજ અન્ય કામો ઝડપથી શરૂ કરવા રાજ્યમંત્રી વાસણ આહિરે માર્ગ અને મકાન વિભાગ અંજારના અધિકારીઓને ખાસ સૂચના આપી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ: મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેર બનશે હરિયાળુ, વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ !

ભરૂચ નગર સેવા સદન દ્વારા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને હરિયાળું બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે

New Update
  • ભરૂચ નગર સેવા સદન દ્વારા પ્રારંભ કરાયો

  • વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ

  • શહેરને વધુ હરિયાળુ બનાવવા કરાશે પ્રયત્નો

  • મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરાશે

  • વૃક્ષના જતનની જવાબદારી સોંપાશે

Advertisment
ભરૂચ નગર સેવા સદન દ્વારા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને હરિયાળું બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે
ભારત સરકારના "એક પેડ માં કે નામ" અભિયાન હેઠળ ગુજરાતમાં અમૃત મિશન તથા નેશનલ અર્બન લાઈવલિહુડ મિશન અંતર્ગત 'વુમન ફોર ટ્રી' કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ પ્રમુખ  વિભૂતિ યાદવના હસ્તે કરવામાં આવ્યો હતો.આ યોજનાનો હેતુ શહેરોમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો તથા મહિલાઓના સક્રિય સહભાગીદારી દ્વારા શહેરને હરિયાળું બનાવવાનો છે. મહિલા મંડળોને એકત્રિત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું રોપાણ અને તેના જતન માટે જવાબદારી આપવામાં આવી છે. આ કામગીરી માટે નગરપાલિકા દ્વારા મહિલાઓને વળતર પણ ચૂકવવામાં આવશે.આ પ્રસંગે ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment