કચ્છ: કંડલાની ઈમામી એગ્રો ટેક કંપનીમાં ટાંકીમાં સાફ સફાઈ દરમિયાન ગેસ લાગતા પાંચ શ્રમિકોએ જીવ ગુમાવ્યા

કચ્છ કંડલા સ્થિત ઇમામી એગ્રો ટેક કંપનીમાં વેસ્ટ ટાંકીમાં અંદર સફાઈ કામ કરી રહેલા 5 શ્રમિકોના ગેસ ગળતરના લીધે મોત થયા હોવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી.

New Update

કંડલામાં કંપનીમાં વેસ્ટ ટાંકીમાં સર્જાઈ દુર્ઘટના 

કેમિકલ ટાંકી સાફ કરવા ઉતર્યા હતા શ્રમિકો 

વેસ્ટ ટાંકીમાં સાફ સફાઈ દરમિયાન પાંચ શ્રમિકોના મોત

કંપની દ્વારા 10 લાખના વળતરની કરાય જાહેરાત 

પોલીસ દ્વારા શરૂ કરાઇ તપાસ  

કચ્છ કંડલા સ્થિત ઇમામી એગ્રો ટેક કંપનીમાં વેસ્ટ ટાંકીમાં અંદર સફાઈ કામ કરી રહેલા 5 શ્રમિકોના ગેસ ગળતરના લીધે મોત થયા હોવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી.
કચ્છ કંડલા સ્થિત ઈમામી એગ્રો ટેક કંપનીમાં વેસ્ટ ટાંકીમાં સફાઈ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાય હતી.વેસ્ટ ટાંકીમાં પાંચ શ્રમિકો સિદ્ધાર્થ તિવારી,અજમત ખાન,આશિષ ગુપ્તા,આશિષ કુમાર અને સંજય ઠાકોર નામના કામદારોનું કેમિકલ ટાંકીમાં સફાઈ અર્થે ઉતર્યા હતા,અને ટાંકીમાં ગેસ ગળતર થતા ગૂંગળાઈ જવાથી પાંચ શ્રમિકો કરૂણ મોતને ભેટ્યા હતા.સર્જાયેલી ઘટનાને પગલે નાસભાગ મચી ગઈ હતી.બનાવ અંગેની જાણ પોલીસ તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગને કરવામાં આવતા ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે રામબાગ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર બનાવમાં કંપની દ્વારા દરેક મૃતક શ્રમિકના પરિવારને 10 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.આ બનાવમાં હતભાગીઓના મૃતદેહોને વતન મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજી તરફ સેફટી મુદ્દે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.