કચ્છ : ભુજના 477માં સ્થાપના દિવસ નિમિત્તે દરબાર ગઢ ખાતે “ખીલી પૂજન” વિધિ યોજાય...

કચ્છ જિલ્લાના ભુજના દરબાર ગઢ ખાતે રાજ પરિવાર, કચ્છના સાંસદ અને ભુજ પાલિકાના નગરસેવકો દ્વારા ખીલી પૂજન કરી ભુજના 477માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • ભુજના 477માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાય

  • ભુજના દરબાર ગઢ ખાતે ખીલી પૂજન કરવામાં આવ્યું

  • રાજ પરિવારસાંસદ અને પાલિકાના સભ્યોની ઉપસ્થિતિ

  • લાખો ભુજવાસીએ પોતાના જન્મદિવસ તરીકે ઉજવણી કરી

  • ભુજ મહાનગરપાલિકા નિયુક્ત થાય તેવી લોકોની માંગણી

કચ્છ જિલ્લાના ભુજના દરબાર ગઢ ખાતે રાજ પરિવારકચ્છના સાંસદ અને ભુજ પાલિકાના નગરસેવકો દ્વારા ખીલી પૂજન કરી ભુજના 477માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

''અઢી કાંગરાએક કટારીપાંચ નાકા ને છઠ્ઠીબારી,,, ત્રણ આરાચોથી પાવડીબજાર વચ્ચે કરી ચાવડી...'' આ પંક્તિનું કચ્છ જિલ્લાના ભુજ માટે વર્ણન કરાયું છે. કચ્છ જિલ્લાનું ભુજ કેજે અગાઉ માત્ર 5 કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરેલું હતુંજે આજે તેના 477માં સ્થાપના દિવસે 56 ચોરસ કિલોમીટરમાં વિસ્તરી ગયું છે. ઉલ્લેખનીય છે કેભુજમાં 18 રાજવીઓએ રાજ કર્યું હતું. 1948માં કચ્છ ભારત સંઘ સાથે ભળ્યું હતું. ત્યારબાદ ભુજને જિલ્લાનું વડું મથક જાહેર કરવામાં આવ્યું હતું. ભુજના સ્થાપના દિવસે શહેરને મહાનગર પાલિકા નિયુક્ત થાય તેવી નગરજનોએ લાગણી દર્શાવી હતી.

અગાઉ પાંચ નાકા અને છઠ્ઠીબારીમાં ભુજનો વિસ્તાર લેખાતો હતો. પરંતુ હવે શહેરની બહાર અનેક વિકાસ થઈ ગયો છે. ચારે તરફ વિકસતા વિસ્તારના કારણે ભુજનું સ્થાન લોકોના હૃદયમાં પણ અંકિત થયું છે. ઇતિહાસકારોના જણાવ્યા મુજબ રાજાશાહી વખતમાં અહીં ટંકશાળ હતીઅને રાજ્યમાં 562 રજવાડા પૈકી 13 રજવાડાંઓને જ સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી. જેમાં કચ્છના રાજ પરિવાર દ્વારા પણ સિક્કાઓ બહાર પાડવામાં આવતા હતા. આજથી 300 વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જુની ટંકશાળ હતીત્યાં કચ્છરાજનું ચલણી નાણું છપાતું હતું. એક સદી પહેલાં મહાદેવ નાકાં પાસે નવી ટંકશાળ શરૂ કરવામાં આવી હતીપછી ત્યાં મામલતદાર ઓફિસ અને તિજોરી કચેરી બેસતી જ્યાં હાલમાં બોર્ડર વીંગની કચેરી અને પેન્શનર્સ એશોશિયેશનની ઓફિસ આવેલી છે.

ભુજ શહેરની સ્થાપના કરનારા રાવખેંગારજી પહેલાથી લઈને મહારાવ મદનસિંહ સહિત રાજવીઓએ ભુજમાં આવેલ દરબાર ગઢને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યુ હતું. રાજાશાહી સમયના ભુજ  શહેર અને આજના ભુજ  શહેરમાં મોટો બદલાવ આવી ગયો છે. આજે ભુજ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ભુજની સ્થાપના લઈને અત્યાર સુધીમાં ભુજે અનેક કુદરતી આપતીનો સામનો કર્યો છે. ભૂકંપઅતિવૃષ્ટિ જેવી કુદરતી આફતનો ભુજ સામનો કરી ચુક્યો છે. જેમાં 2001માં કચ્છના આવેલ વિનાશકારી ભૂંકપમાં ભુજમાં પણ મોટી ખુમારી થઈ હતી.

એક સમયે એવું લાગી રહ્યું હતું કેહવે ભુજ ક્યારેય પણ બેઠું નહિ થાય. પણ ભુજ આજે કચ્છના પાટનગર તરીકે ઓળખાઈ રહ્યું છેત્યારે દર વર્ષની રાજાશાહી પરંપરા પ્રમાણે ભુજના પ્રથમ નાગરિક એટલે કેભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મી સોલંકી દ્વારા પ્રાગ મહેલ ખાતે ભુજની ખીલી જ્યાં ખોડાઈ હતીત્યાં ખીલી પૂજન કરવામાં આવ્યું હતું. આજનો દિવસ લાખો ભુજવાસીઓ પોતાનો જન્મદિવસ હોય તેવી રીતે મનાવી રહ્યા છેત્યારે આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડારાજવી પરિવારના કુંવર ઇન્દુભા જાડેજા સહિતના સભ્યોભુજ પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની કરાઇ આગાહી

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ જમાવટ કરી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય હોવાથી  ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.

New Update
rain varsad

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ જમાવટ કરી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય હોવાથી  ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગ અને અન્ય મોડલના આંકલન મુજબ ગુજરાતમાં 27 જૂન સુધી વરસાદનું અનુમાન છે. 27 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાકમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.

રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી છે. ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં રથયાત્રાના દિવસે પણ મેઘરાજાનું આગમન થઇ શકે છે,અમદાવાદમાં વરસાદનું આજે યલો એલર્ટ અપાયું છે.  આજે દાહોદ, વડોદરામાં ભારે વરસાદનું એલર્ટ છે. આજે નવસારી, છોટાઉદેપુરમાં ભારે વરસાદનું એલર્ટ છે. ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.

ગત સોમવારે મેધરાતાએ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું હતું. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં ફાટ્યું આભ તેવી સ્થિતિ સર્જાઇ હતી. સવાર 8 વાગ્યાથી સાંજે 5 સુધીમાં સાડા આઠ ઇંચ વરસાદ પડી જતાં  સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.  ભારે વરસાદના કારણે સુરતની તમામ શાળા કોલેજના કેમ્પસ પણ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેના પગલે  રજા જાહેર કરી દેવાઇ હતી.  સુરત શહેરના તમામ વિસ્તારમાં  ઘૂંટણથી કેડસમા પાણી ભરાયા હતા.  સુરતના અનેક માર્કેટોમાં પાણી ઘૂસી જતાં દુકાનોમાં રહેલા માલ સમાનને નુકસાન થયું છે. સુરતના અડાજણ, રાંદેર વિસ્તાર પણ જળમગ્ન હતા. સુરતની અનેક રહેણાંક સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા. જેના કારણે રસ્તા બ્લોક થઇ હતા.