અમરેલી : બાબરા જનસેવા કેન્દ્ર પર KYC અપડેટ માટે વિદ્યાર્થીઓની લાંબી કતાર, સર્વર ડાઉન રહેતા વાલીઓમાં રોષ...

અમરેલી જિલ્લાના બાબરાના જનસેવા કેન્દ્ર પર આધારકાર્ડમાં KYC અપડેટ કરાવવા માટે વિદ્યાર્થીઓ લાંબી કતારોમાં જોવા મળ્યા હતા, ત્યારે તંત્રની ઢીલી કામગીરી સામે પણ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.

New Update

બાબરાના જનસેવા કેન્દ્ર ખાતે જોવા મળી લાંબી કતાર

આધાર કાર્ડમાંKYC અપડેટ માટે વિદ્યાર્થીઓની કતાર

વહેલી સવારથી વિદ્યાર્થીઓ સહિત વાલીઓ પરેશાન

તંત્રની ઢીલી કામગીરી સામે વાલીઓમાં રોષ ભભૂક્યો

જનસેવા કેન્દ્ર ખાતે ઓપરેટરની સંખ્યા વધારવા માંગ

અમરેલી જિલ્લાના બાબરાના જનસેવા કેન્દ્ર પર આધારકાર્ડમાંKYC અપડેટ કરાવવા માટે વિદ્યાર્થીઓ લાંબી કતારોમાં જોવા મળ્યા હતાત્યારે તંત્રની ઢીલી કામગીરી સામે પણ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.

સ્ક્રીન ઉપર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છોતે કોઈ મતદાન મથક બહાર લાગેલી કતારોના નથી... પણ આ દ્રશ્યો છેઅમરેલી જિલ્લાના બાબરાના જનસેવા કેન્દ્રના. કેજ્યાં આધારકાર્ડમાંKYC અપડેટ કરાવવા માટે વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગી છે. કારણ કે, KYC અપડેટ કરવાની સાઈટ બંધ હોવાથી કલાકો સુધી વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બાબરા જનસેવા કેન્દ્ર ખાતે લાંબી કતારો લાગતાં વિદ્યાર્થીઓ સહિત વાલીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. તો બીજી તરફતંત્રની ઢીલી કામગીરી સામે પણ વાલીઓએ રોષ ઠાલવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેવહીવટી તંત્ર તેમજ સત્તાપક્ષ દ્વારા બાબરા જનસેવા કેન્દ્ર ખાતે ઓપરેટરની સંખ્યા વધારવામાં આવે તો વિદ્યાર્થીઓની હાલાકી આંશિક દૂર થાય તેવું વાલીઓ સહિત સ્થાનિકોએ જણાવ્યુ હતું.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.