ભરૂચ-સુરત જિલ્લામાં આવતીકાલે વરસાદના રેડ એલર્ટની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બે દિવસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદ થઇ શકે છે.

New Update
a

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બે દિવસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદ થઇ શકે છે. જેના પગલે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ 2 સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે વડોદરા, પંચમહાલ, દાહોદ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને બનાસકાંઠામાં અતિભારે તેમજ અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે.


જ્યારે 4 સપ્ટેમ્બરના રોજ કચ્છ,બનાસકાંઠા,નવસારી,વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Read the Next Article

દેવભૂમિ દ્વારકા : થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ જગત મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા...

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

New Update
  • થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ દેવભૂમિ દ્વારકાના મહેમાન બન્યા

  • હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે ભારત આવ્યા

  • બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિ જગત મંદિરે પધાર્યા

  • ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો

  • બન્ને પક્ષોના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમની આ યાત્રા બન્ને ધર્મો વચ્ચેના ગાઢ સંબંધો અને પરસ્પર સમજણને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. થાઈલેન્ડના ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ સૌપ્રથમ દ્વારક જગત મંદિરમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ દ્રશ્ય તેમની હિન્દુ સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા અને આદરભાવને ઉજાગર કરે છે. ત્યારબાદ, તેમણે શારદાપીઠના બ્રહ્મચારીઓ અને સ્થાનિક ગુગળી બ્રાહ્મણો સાથે ધર્મ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક મૂલ્યો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. આ ચર્ચાઓ દરમિયાન તેમણે બૌદ્ધ પરંપરાઓ અને દર્શનશાસ્ત્ર વિશે પણ માહિતી આપી હતી. જેનાથી બન્ને પક્ષોને એકબીજાના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી હતી.

Latest Stories