/connect-gujarat/media/post_banners/d21f5ede731e0c65b6fb29fb44b3a4195bb04d7049891ebf0a413f191386ffb9.jpg)
નર્મદા જિલ્લામાં વરસાદે વિરામ લેતા સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના આગેવાનો અસરગ્રસ્ત નીચાણ વિસ્તારમાં અનાજ કીટ વિતરણ કરવા પહોંચ્યા હતા.
નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લીધે લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા. તો કેટલાય લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આવી પરિસ્થિતિઓમાં જેમના પર મુશ્કેલીઓ આવી પડી છે. અનાજ પલળી ગયો હોવાથી તેમજ ઘરનો ચૂલો સળગાવવા માટે પોતાની અને પરિવારની પરિસ્થિતિઓ વિકટ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભેગા થઈ આવા લોકોની મદદ માટે અનાજ કીટની સહાય કરી હતી જેથી જેનાથી હાલ તેઓ તૈયારીમાં જમવાનું બનાવી ખાઈ શકે.
આ કામગીરીમાં ભાજપ સાંસદ મનસુખ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ, રાજપીપળા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ સહિત આગેવાનોએ નરસિંહ ટેકરી, ખાળા ફરિયા, વિસ્તારમાં ફૂડ પેકેટ અનાજની કીટ ગરીબ અસરગ્રસ્ત પરિવારોને આપી મદદ રૂપ થઈ રહ્યું છે.