નર્મદા : મંત્રી પૂર્ણેશ મોદીની કેવડિયામાં સત્તામંડળ દ્વારા લેવામાં આવતા આડેધડ નિર્ણયોને કારણે બીજી બેઠક બોલાવી
ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદએ અધિકારીઓને જરૂરી સુચના આપી છે.
ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદએ અધિકારીઓને જરૂરી સુચના આપી છે. તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન SOU-એકતાનગર ખાતે SOUADTGA સત્તામંડળના અધિકારીઓઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ તથા જિલ્લાના અગ્રણીઓ સાથે એડમિનિસ્ટ્રેટીવ કચેરીના કોન્ફરન્સ હોલમાં બેઠક યોજી હતી અને આ વિસ્તારના નાના-મોટા પ્રશ્નો સરળતાથી ઉકેલાય તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. સાથે જ તે દિશામાં આગળની જરૂરી કાર્યવાહી માટે સત્તામંડળના અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, સહિતના આ વિસ્તારના અન્ય આગેવાનો, ઉપરાંત SOUADTGAના વરિષ્ઠ અધિકારીઓમાં ઉપસ્થિતિમાં ઉક્ત બેઠક યોજાઇ હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતાનગર વિસ્તારમાં જે કોઈ પ્રશ્ન છે તેનો સરળતાથી ઉકેલ આવે, સંકલન થાય અને લોકોના પ્રશ્નોને વાચા આપી તેનો નિકાલ કરવાના ઉદ્દેશ સાથે નર્મદા જિલ્લાના પ્રભારી તરીકે ઓથોરિટી સાથે આ બીજી બેઠક કરી હતી . મહત્વનું છે કે એકતાનગરના વિકાસ મુદ્દે આવનારા દિવસોમાં સમગ્ર વિશ્વની નજર તેના પર રહેશે, જેને લઈને ઉક્ત બેઠકમાં રજૂ થયેલા કેટલાક નાના - મોટા પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે દિશામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને SOUADTGA ઓથોરિટીના અધિકારીઓ સાથે થયેલી ચર્ચા-વિચારણા અને પરામર્શ મુજબ સાથે મળીને કામ કરશે .