વલસાડ : વરસાદમાં નેશનલ હાઇવે 48 બન્યો બિસ્માર,સાંસદે સ્થળ મુલાકાત કરીને રસ્તાની તાત્કાલિક મરામત અંગે આપી સૂચના

વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે,જોકે આ સમસ્યાને ધ્યાનમાં લઈને લોકસભાના સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલે સ્થળ મુલાકાત લીધી..

New Update
  • વલસાડમાં નેશનલ હાઇવે બિસ્માર બન્યો

  • ખખડધજ માર્ગથી વાહન ચાલકો પરેશાન  

  • સાંસદ-ધારાસભ્યએ લીધી સ્થળ મુલાકાત

  • માર્ગના સમારકામ માટે સૂચના આપી

  • બેદરકાર એજન્સીને કરશે બ્લેકલિસ્ટ

વલસાડમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે 48 બિસ્માર બની ગયો છે. આ સમસ્યાને ધ્યાનમાં લઈને લોકસભાના સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલે સ્થળ મુલાકાત લીધી હતી.

વલસાડમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે 48 બિસ્માર બની ગયો છે.જેના કારણે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે,જોકે આ સમસ્યાને ધ્યાનમાં લઈને લોકસભાના સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલે સ્થળ મુલાકાત લીધી હતી. કરમબેલા બ્રિજ પર 8 ફૂટ પહોળો ખાડો અને સુગર ફેક્ટરી બ્રિજ પરના ખાડાઓ સહિત હાઇવે પર કુલ 11 સ્પોટની ઓળખ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને આ તમામ સ્થળોએ એક સપ્તાહમાં મરામતનું કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.

આગામી ચોમાસા દરમિયાન બિસ્માર માર્ગો પરRCC કામગીરી કરવામાં આવશે. હાલ પૂરતા હંગામી ધોરણે ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરાશે. જો એજન્સી દ્વારા કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવશે તો તેમને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવા અંગે સાંસદ ધવલ પટેલે ચીમકી ઉચ્ચારી હતી.

Read the Next Article

અમરેલી : વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વન વિભાગ-પ્રકૃતિ પ્રેમી-વિદ્યાર્થીઓએ “સિંહ બચાવો”ના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી...

આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગ, પ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • આજે 10મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસની ઉજવણી

  • વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા આયોજન કરાયું

  • ગીરની શાન ગણાતા સિંહો માટે જનજાગૃતિ રેલી યોજાય

  • સિંહના મુખોટા પહેરી અનેક વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા

  • સિંહોનું આધિપત્ય વધુને વધુ વિસ્તરે તેવો પ્રયાસ :RFO

આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગપ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ... ગીરની શાન ગણાતા સિંહો માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી માન અને મોભા સાથે દેશભરમાં ઉજવાય છેત્યારે સિંહોના સામ્રાજ્ય એવા અમરેલી જિલ્લામાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધારીખાંભાસાવરકુંડલારાજુલા સહિતના પંથકમાં શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરીને સિંહો બચાવવા માટે રેલી યોજી હતી. જેમાં વન વિભાગ સહિત પ્રકૃતિ પ્રેમીઓ પણ જોડાયા હતા. ગીરના ગ્રામીણ ગામડાઓ સાથે બૃહદ ગીરના ગામોમાં સિંહોનું આધિપત્ય વધુને વધુ વિસ્તરે તેવા સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રસંગે સાવરકુંડલા વનવિભાગના અધિકારીઓશિક્ષણ વિભાગપોલીસ અને રાજકીય મહાનુભાવોએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આયોજિત જનજાગૃતિ રેલી સહિતના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.