નવસારી : ક્રિકેટ ગ્રાઉન્ડમાં બાઇક લાવવા બાબતે 2 જુથ વચ્ચે અથડામણ, આધેડનું મોત...

નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સંદલપુર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 જુથ વચ્ચે બાઇક પાર્ક કરવા બાબતે માથાકૂટ થઈ હતી.

New Update
નવસારી : ક્રિકેટ ગ્રાઉન્ડમાં બાઇક લાવવા બાબતે 2 જુથ વચ્ચે અથડામણ, આધેડનું મોત...

નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સંદલપુર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 જુથ વચ્ચે બાઇક પાર્ક કરવા બાબતે માથાકૂટ થઈ હતી. જોકે, તેના સમાધાન બાદ સાંજે થયેલી મારામારીમાં 65 વર્ષીય આધેડનું મોત નિપજતા મામલો પોલીસ ચોપડે નોંધાયો હતો.

નવસારીના સંદલપુર ગામે ધૂળેટીના દિવસે પટેલ અને ભરવાડ સમાજના યુવાનો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય હતી, ત્યારે ભરવાડ સમાજના 2 યુવાનોને ભરવાડ સમાજના અન્ય યુવાનો બાઇક પર રંગ લગાવવા માટે આવ્યા હતા. જેથી અન્ય યુવાનોએ બાઈકને ગ્રાઉન્ડની બહાર પાર્ક કરવા માટે કહેતા બન્ને જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેને લઈને બપોર બાદ પંચાયત પાસે સમાધાન પણ થયું હતું. પંરતુ સાંજે ફરીવાર પટેલ અને ભરવાડ સમાજના યુવાનોએ ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયેલ મામલે મારામારી કરી હતી. બન્ને જૂથે એકબીજાને ઇજા પહોંચાડતા અનેક યુવાનો ઘાયલ થયા હતા. જેમાં 65 વર્ષીય સુખા વિહા મેરને માથાના ભાગે ફટકો વાગતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

સમગ્ર મામલે પટેલ અને ભરવાડ સમાજ દ્વારા ગ્રામ્ય પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ભરવાડ યુવાન કાળું ભરવાડ દ્વારા 17 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પટેલ સમાજના હર્ષદ પટેલ દ્વારા પણ 16 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાય છે. પોલીસે પટેલ સમાજના 17 આરોપી પૈકી 7 લોકોની ધરપકડ કરી છે, ત્યારે હાલ ગામમાં સ્થિતિ વધુ ન વણશે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. DYSP કક્ષાના અધિકારીઓએ ગામમાં આગેવાનો સાથે મુલાકાત કરી મામલો વહેલી તકે થાળે પડે તે માટે પ્રયત્નશીલ બન્યા છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.