નવસારી : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કૂપોષિત બાળકો માટે કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

કુપોષણથી સુપોષણ તરફ રાજ્ય સરકારના અભિયાન અંતર્ગત નવસારી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બાળકો માટે કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

New Update
  • રાજ્ય સરકાર દ્વારા કુપોષણથી સુપોષણ તરફ વિશેષ અભિયાન

  • ICDS વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

  • સમાજસેવી સંસ્થા અને અગ્રણીઓ દ્વારા સહાય કરવામાં આવી

  • જિલ્લા સહિતના બાળકો માટે કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

  • ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

કુપોષણથી સુપોષણ તરફ રાજ્ય સરકારના અભિયાન અંતર્ગત નવસારી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બાળકો માટે કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે એક વર્ષ પહેલાં સમગ્ર ગુજરાતમાં કુપોષણને દૂર કરવા માટે અભિયાન હાથ ધર્યું હતું. જેમાં નવસારીથી શરૂ કરીને સમગ્ર ગુજરાતમાં કુપોષણને દૂર કરવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવતા મોટા પાયે સફળતા મળી હતી. કુપોષણથી સુપોષણ તરફ લઈ જવા માટેICDS વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે નવસારી ખાતે બાળકો માટે કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સમાજસેવી સંસ્થાઓ અને સમાજસેવી અગ્રણીઓની સહાયથી કુપોષણના કલંકને દૂર કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં નવસારી ખાતે યોજાયેલા દક્ષિણ ગુજરાતના કુપોષણ મુક્ત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સી.આર.પાટીલેICDS વિભાગની કામગીરીને બિરદાવી હતી..

Read the Next Article

અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરાયુ

અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
MixCollage-12-Jul-2025-
અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 34 વર્ષ પૂર્ણ થતાં 35માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય અને સ્માર્ટ બોર્ડ તેમજ વૈજ્ઞાનિક રીતે આગળ વધે તે માટે આજરોજ કે.પટેલ કેમો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આઉટ ડોર જીમનાસ્ટિકનું આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.જ્યારે સુભશ્રી પીગમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી બનાવેલ સ્માર્ટ ક્લાસીસ તેમજ એસ્ટ્રોનોમી ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીતેન્દ્ર એમ.પટેલ,શ્રી કે શ્રીવત્સન,શીતલ નરેશ પટેલ અને પારુલ ચેતન વઘાસિયા તેમજ સંસ્કારદીપ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.