નવસારી : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કૂપોષિત બાળકો માટે કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

કુપોષણથી સુપોષણ તરફ રાજ્ય સરકારના અભિયાન અંતર્ગત નવસારી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બાળકો માટે કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

New Update
  • રાજ્ય સરકાર દ્વારા કુપોષણથી સુપોષણ તરફ વિશેષ અભિયાન

  • ICDS વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

  • સમાજસેવી સંસ્થા અને અગ્રણીઓ દ્વારા સહાય કરવામાં આવી

  • જિલ્લા સહિતના બાળકો માટે કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

  • ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

Advertisment

કુપોષણથી સુપોષણ તરફ રાજ્ય સરકારના અભિયાન અંતર્ગત નવસારી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બાળકો માટે કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે એક વર્ષ પહેલાં સમગ્ર ગુજરાતમાં કુપોષણને દૂર કરવા માટે અભિયાન હાથ ધર્યું હતું. જેમાં નવસારીથી શરૂ કરીને સમગ્ર ગુજરાતમાં કુપોષણને દૂર કરવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવતા મોટા પાયે સફળતા મળી હતી. કુપોષણથી સુપોષણ તરફ લઈ જવા માટે ICDS વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે નવસારી ખાતે બાળકો માટે કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સમાજસેવી સંસ્થાઓ અને સમાજસેવી અગ્રણીઓની સહાયથી કુપોષણના કલંકને દૂર કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં નવસારી ખાતે યોજાયેલા દક્ષિણ ગુજરાતના કુપોષણ મુક્ત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સી.આર.પાટીલે ICDS વિભાગની કામગીરીને બિરદાવી હતી.. 

Advertisment
Read the Next Article

ઓપરેશન સિંદૂર’ બાદ દ્વારકામાં સમુદ્ર સીમાની સુરક્ષામાં વધારો, મરીન પોલીસનું જબરજસ્ત પેટ્રોલિંગ...

ઓપરેશન સિંદૂર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. 3 બાજુથી દરિયાથી ઘેરાયેલું હોવાથી, દ્વારકા દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

New Update
  • 3 દિશાએ દરિયાથી ઘેરાયેલો દેવભૂમિ દ્વારકા જિલ્લો

  • ઓપરેશન સિંદૂર બાદ સમુદ્ર સીમાની સુરક્ષામાં વધારો

  • દરિયાઈ વિસ્તારમાં મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

  • 23 ટાપુઓમાંથી 21 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ કરાયો

  • ગેરકાયદે માછીમારી પ્રવૃત્તિઓમાં સામેલ 20 બોટ જપ્ત 

Advertisment

ઓપરેશન સિંદૂર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમુદ્ર સીમામાં સુરક્ષામાં વધારો કરાયો છેજ્યાં મરીન પોલીસ દ્વારા જબરજસ્ત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં પાર પડાયેલા ઓપરેશન સિંદૂરને સફળતા મળી છેત્યારે ઓપરેશન સિંદૂર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. 3 બાજુથી દરિયાથી ઘેરાયેલું હોવાથીદ્વારકા દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સત્તાવાળાઓએ જિલ્લાના 23 ટાપુઓમાંથી 21 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધિત કર્યો છે.

મરીન પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે ગેરકાયદેસર માછીમારી પ્રવૃત્તિઓમાં સામેલ અનેક બોટને પકડવામાં આવી છે. આ બોટો જરૂરી ટોકન્સ વિના અથવા જૂના ટોકન્સનો દુરુપયોગ કરીને તેમજ હોકાયંત્રએન્ડ્રોઇડ બેરોમીટર અને ઇમરજન્સી સ્મોક સિગ્નલ જેવા આવશ્યક સાધનો વિના ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જોકેઆ ઉલ્લંઘન બદલ દ્વારકા જિલ્લા પોલીસે ગુજરાત મત્સ્યઉદ્યોગ અધિનિયમ અને BNSની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યા છે. જેમાં બેટ દ્વારકાવાડીનારસલાયાદ્વારકા અને ઓખા નજીકના વિસ્તારોમાંથી 20 બોટ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisment