નવસારી: આયુર્વેદની આડમાં ચાલતું હતું એલોપેથિક હોસ્પિટલ SOGએ કરી ડોક્ટરની ધરપકડ

નવસારીના સાતેમ ગામે ઘરમાં શિવ આયુર્વેદિક હોસ્પિટલ ચલાવી, પંચગવ્ય અને નેચરોપેથી સારવાર આપવામાં આવતી હોવાની આડમાં બિન્દાસ એલોપેથીક હોસ્પિટલ ચાલતી હોવાની મળેલી

New Update
  • આયુર્વેદિક સારવાર સાથે એલોપેથિકની ટ્રીટમેન્ટ

  • આયુર્વેદિક ડોક્ટર કરતો હતો એલોપેથિકની સારવાર

  • પંચગવ્ય અને નેચરોપેથીની આડમાં ચાલતું હતું દવાખાનું

  • છ બેડની એલોપેથિક હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી

  • પોલીસે કરી આરોપી ડોક્ટરની અટકાયત 

નવસારીના સાતેમ ગામે ઘરમાં શિવ આયુર્વેદિક હોસ્પિટલ ચલાવીપંચગવ્ય અને નેચરોપેથી સારવાર આપવામાં આવતી હોવાની આડમાં બિન્દાસ એલોપેથીક હોસ્પિટલ ચાલતી હોવાની મળેલી બાતમીને આધારે SOG પોલીસની ટીમે ગત મોડી રાતે સાતેમ ગામે શિવ આયુર્વેદિક હોસ્પિટલમાં છાપો માર્યો હતો. છાપો મારતા જ જિલ્લા આરોગ્ય વિભાગના ડોક્ટર સાથે પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ હોસ્પિટલમાં 7 બેડ રાખવામાં આવ્યા હતાજેમાં દાખલ દર્દીઓને એલોપેથીક સારવાર આપવામાં આવી હતી.

દર્દીઓને ગ્લુકોઝ તેમજ અન્ય ઇન્જેક્શનના બોટલો ચઢાવવામાં આવ્યા હતા. સાથે જ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં એલોપેથીક દવાઓ પણ મળી આવી હતી. જેથી પોલીસે આયુર્વેદિક હોસ્પિટલ ચલાવતા બોગસ ડો.નટવરગીરી ગોસ્વામીની પૂછપરછ કરતા તેમની પાસે સરકાર માન્ય એલોપેથીક પ્રેક્ટિસ કરવાની કોઈ ડિગ્રી ન હતી. સાથે જ હોસ્પિટલ ચલાવવાના કોઈ દસ્તાવેજો પણ આપી શક્યો ન હતો.

હોસ્પિટલમાં ડોક્ટરોને સારવાર આપવા સાથે ઓપરેશન કે પ્રસૂતિ પણ કરાવવામાં આવતી હોય એવા સાધનો મળી આવ્યા હતા.જેથી પોલીસે ઝોલાછાપ ડો.નટવરગીરી ગોસ્વામીની ધરપકડ કરી હોસ્પિટલ માંથી દવા,બોટલોઇન્જેક્શન સહિત 2.69 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત હોસ્પિટલમાં વિઝીટિંગ ડોકટર તરીકે આવતા નવસારીના જાણીતા M.S. ઓર્થો. ડો. કિશોર મોદીની પણ પૂછપરછ કરી હતી. જોકે ડો. કિશોર મોદી ફક્ત મુલાકાતી ડોકટર તરીકે જતા હોવાથી પોલીસે હાલ કોઈ કાર્યવાહી કરી નથી.જ્યારે આરોપી ડો.નટવરગીરી ગોસ્વામી વિરુદ્ધ BNS અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ અધિનિયમ હેઠળ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.ઉલ્લેખનીય છે કે પોલીસે અત્યાર સુધીમાં 9 ઝોલાછાપ ડોકટરો સામે કાર્યવાહી કરી છે.

Read the Next Article

અંકલેશ્વર : મામલતદાર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો, 8 અરજીનો ત્વરિત નિકાલ કરાયો...

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો

New Update
  • મામલતદાર કચેરીએ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

  • સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિ

  • કાર્યક્રમમાં 10 જેટલી અરજીઓ સાંભળવામાં આવી હતી

  • અરજદારોની 8 અરજીનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો

  • મામલતદાર તેમજ પ્રાંત અધિકારી વિશેષ ઉપસ્થિત રહ્યા 

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેના ભરૂચ જિલ્લાની અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ આયોજિત સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર તેમજ પ્રાંત અધિકારી સહિત અરજદારોની ઉપસ્થિતિમાં 10 અરજદારોએ પોતાની ફરિયાદો રજૂ કરી હતી. જેમાં અધિકારીઓએ ફરિયાદિને રૂબરૂ સાંભળ્યા બાદ 8 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.