નવસારી : 3 હજારથી વધુ વિદ્યાર્થીનીઓને કેન્દ્રિય જળશક્તિ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં સાયકલ વિતરણ કરાય...

ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ સરળતાથી વધી શકે તે આશયથી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી છે.

New Update

સરકારી શાળામાં ડ્રોપ આઉટ રેસિયો ઘટાડવાનો હેતુ

LNG પેટ્રોનેટ-દહેજનાCSR ફંડમાંથી સેવાકાર્ય કરાયું

3 હજારથી વધુ વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ

કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

વિદ્યાર્થીનીઓને શાળાએ જવાના નહીં થાય તકલીફ

સરકારી શાળાઓમાં ડ્રોપ આઉટ રેસિયો ઘટાડવાના હેતુસર LNG પેટ્રોનેટ-દહેજના CSR ફંડમાંથી નવસારી ખાતે 3 હજારથી વધુ વિદ્યાર્થીનીઓને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સાયકલ વિતરણ કરવામાં આવી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ સરળતાથી વધી શકે તે આશયથી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ભણે અને એમનું જીવન ધોરણ સુધરે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વિદ્યાર્થીનીઓને શિક્ષણમાં આગળ લઈ જઈ દેશનું ભવિષ્ય ઉજવળ બનાવવાના હેતુસર નવસારી ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં થઈ રહેલો ડ્રોપ આઉટ રેસીયો ઘટાડવા માટે રાજ્ય સરકારે વિવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરેલી સાયકલ વિતરણ પદ્ધતિને પણ આગળ વધારવામાં આવી રહી છે. કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે પેટ્રોનેટ કંપની સાથે મળીને CSR ફંડમાંથી 3 હજાર જેટલી સાયકલ ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીઓને અર્પણ કરી હતી. આ પ્રસંગે કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યુ હતું કેસાયકલ વિતરણના કારણે ગ્રામ્ય વિસ્તારની શાળાએ જતી વિદ્યાર્થીનીઓને શાળાએ જવા માટે સરળતા રહેશે. એટલું જ નહીંસરકારી શાળાઓના ડ્રોપ આઉટ રેશિયોમાં પણ ઘટાડો થશે. આ સાથે જ ગુજરાતમાં વરસાદી પાણી સંગ્રહની દિશામાં પગલું ભરવામાં આવ્યું છે. જે સમગ્ર દેશ માટે દિશા સૂચક રહેશે. ઉપરાંત દેશમાં સૌથી વધુ બ્લડ ડોનેશન કેમ્પ ગુજરાતમાં યોજાયા છેજે યુવા મોરચાને આભારી હોવાનું તેઓએ જણાવ્યુ હતું.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.