નવસારી : એસ.ટી. બસના ડ્રાઈવર-કંડક્ટરે કર્યું મુસાફરો સાથે ગેરવર્તન, મચ્યો ભારે હોબાળો...
એસ.ટી. ડેપો ખાતે બસના ડ્રાઈવર અને કંડક્ટરે મુસાફરો સાથે ગેરવર્તન કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મુસાફરોએ ભારે હોબાળો મચાવી એસ.ટી. ડેપોને માથે લીધું હતું.
BY Connect Gujarat Desk29 March 2022 10:58 AM GMT
X
Connect Gujarat Desk29 March 2022 10:58 AM GMT
નવસારી શહેરના એસ.ટી. ડેપો ખાતે બસના ડ્રાઈવર અને કંડક્ટરે મુસાફરો સાથે ગેરવર્તન કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મુસાફરોએ ભારે હોબાળો મચાવી એસ.ટી. ડેપોને માથે લીધું હતું.
મળતી માહિતી અનુસાર, ખેડબ્રહ્મા વાયા સુરત-નવસારી એસ.ટી. બસના ડ્રાઈવર અને કંડક્ટરે મુસાફરો સાથે ગેરવર્તન કર્યું હતું. સુરતથી નવસારી આવતી એસ.ટી. બસને 2 કલાકથી વધુ સમય લાગતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો, જ્યાં નવસારી એસ.ટી. ડેપો ખાતે મુસાફરો અને બસના ડ્રાઇવર-કંડક્ટર વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. મુસાફરોએ એસ.ટી. બસના ડ્રાઇવર અને કંડક્ટર પર અપશબ્દો બોલવાના આક્ષેપ કર્યા હતા. સમગ્ર મામલે મુસાફરોએ એસ.ટી. બસના ડ્રાઇવર અને કંડક્ટર વિરુદ્ધ ડેપો મેનેજરને ફરિયાદ આપી કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
Next Story