નવસારી:ગણદેવીના ગોડાઉનમાં ભીષણ આગ,અચાનક ભડકો થતા ત્રણ વ્યક્તિઓ જીવતા જ ભૂંજાયા

ગોડાઉનમાં જ્યારે ટ્રકમાંથી બેરલ ખાલી કરવામાં આવી રહ્યાં હતાં, ત્યારે એકાએક તેમાં ભડકો થયો. આ ભડકો થતાંની સાથે જ તુરંત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

New Update
  • નવસારીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ

  • ટ્રકમાંથી કેમિકલ બેરલ ખાલી કરતી વેળાએ સર્જાઈ ઘટના

  • અચાનક ભડકો થતા ત્રણ વ્યક્તિઓ જીવતા જ ભૂંજાઈ

  • અન્ય લોકો પણ આગમાં ફસાયા હોવાનું અનુમાન

  • ફાયર લાશ્કરોનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ  

Advertisment

નવસારીના ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાથી ત્રણ લોકો આગમાં બળી મોતને ભેટ્યા છે.આ સિવાય અન્ય ત્રણ લોકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.આગની ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

નવસારી જિલ્લાના ગણદેવીનાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી.ગોડાઉનમાં જ્યારે ટ્રકમાંથી બેરલ ખાલી કરવામાં આવી રહ્યાં હતાંત્યારે એકાએક તેમાં ભડકો થયો. આ ભડકો થતાંની સાથે જ તુરંત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ભડકો થતાંની સાથે જ ત્રણ લોકો આગની લપેટમાં આવતાં ત્યાંને ત્યાં જ જીવતા ભૂંજાઈ ગયા છેતેમજ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.આગની ઘટના સામે આવતા જ તુરંત ફાયર વિભાગને બોલાવવામાં આવ્યું હતું. જોકેઆગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બીલીમોરગણદેવીનવસારી અને ચીખલીમાંથી પણ ફાયરની ટીમોને બોલાવવામાં આવી છે.

ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.સ્થાનિકોના જણાવ્યા અનુસારહજુ ત્રણ મજૂર ગોડાઉનમાં ફસાયા હોવાની આશંકા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતા અચાનક આગ લાગી હતી.નીચે પણ ઘણી જગ્યાએ કેમિકલ ઢોળાયું હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

હાલ આગ પર કાબૂ મેળવી ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. મૃતદેહોને બહાર કાઢી તેમની ઓળખ કરવામાં આવી રહી છે અને ઈજાગ્રસ્તને તાત્કાલિક ધોરણે વલસાડની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ગણદેવી મામલતદાર સહિત પોલીસ અધિકારીઓ દ્વારા જરૂરી તપાસ શરુ કરવામાં આવી છે.

Advertisment
Read the Next Article

રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે

New Update
aaagagahi

રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે.

Advertisment

જેના પગલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 થી 25 તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

નોંધનીય છે કે, બુધવારે રાજ્યમાં 48 કરતા કરતા વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ નુકસાનીના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. હવામાન વિભાગે ગુરૂવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે.

મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર, મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો કડાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુરના ક્વાંટ, નર્મદાના નાંદોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે, મુંબઈ-ગોવા પર બનેલી સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે. 22 મી મે સુધીમાં લો-પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે. વાવાઝોડું 24થી 28 મે વચ્ચે ગુજરાત પહોંચી જશે. મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ ખાબકશે. ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે જ 100 કિમી પ્રતિકલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે છે. ડાંગ, આહવા, વલસાડમાં 10થી 12 ઈંચ વરસાદ થશે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ થશે.

Advertisment