નવસારી:ગણદેવીના ગોડાઉનમાં ભીષણ આગ,અચાનક ભડકો થતા ત્રણ વ્યક્તિઓ જીવતા જ ભૂંજાયા

ગોડાઉનમાં જ્યારે ટ્રકમાંથી બેરલ ખાલી કરવામાં આવી રહ્યાં હતાં, ત્યારે એકાએક તેમાં ભડકો થયો. આ ભડકો થતાંની સાથે જ તુરંત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

New Update
  • નવસારીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ

  • ટ્રકમાંથી કેમિકલ બેરલ ખાલી કરતી વેળાએ સર્જાઈ ઘટના

  • અચાનક ભડકો થતા ત્રણ વ્યક્તિઓ જીવતા જ ભૂંજાઈ

  • અન્ય લોકો પણ આગમાં ફસાયા હોવાનું અનુમાન

  • ફાયર લાશ્કરોનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ  

નવસારીના ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાથી ત્રણ લોકો આગમાં બળી મોતને ભેટ્યા છે.આ સિવાય અન્ય ત્રણ લોકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.આગની ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

નવસારી જિલ્લાના ગણદેવીનાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી.ગોડાઉનમાં જ્યારે ટ્રકમાંથી બેરલ ખાલી કરવામાં આવી રહ્યાં હતાંત્યારે એકાએક તેમાં ભડકો થયો. આ ભડકો થતાંની સાથે જ તુરંત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ભડકો થતાંની સાથે જ ત્રણ લોકો આગની લપેટમાં આવતાં ત્યાંને ત્યાં જ જીવતા ભૂંજાઈ ગયા છેતેમજ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.આગની ઘટના સામે આવતા જ તુરંત ફાયર વિભાગને બોલાવવામાં આવ્યું હતું. જોકેઆગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બીલીમોરગણદેવીનવસારી અને ચીખલીમાંથી પણ ફાયરની ટીમોને બોલાવવામાં આવી છે.

ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.સ્થાનિકોના જણાવ્યા અનુસારહજુ ત્રણ મજૂર ગોડાઉનમાં ફસાયા હોવાની આશંકા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતા અચાનક આગ લાગી હતી.નીચે પણ ઘણી જગ્યાએ કેમિકલ ઢોળાયું હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

હાલ આગ પર કાબૂ મેળવી ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. મૃતદેહોને બહાર કાઢી તેમની ઓળખ કરવામાં આવી રહી છે અને ઈજાગ્રસ્તને તાત્કાલિક ધોરણે વલસાડની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ગણદેવી મામલતદાર સહિત પોલીસ અધિકારીઓ દ્વારા જરૂરી તપાસ શરુ કરવામાં આવી છે.

Read the Next Article

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ સ્યુસાઇડ નોટ લખી પરિવારે કરી લીધો સામૂહિક આપઘાત

શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો

author-image
By Connect Gujarat Desk
New Update
kadi mass suicide

મહેસાણાના કડીમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, જેમાં નર્મદા કેનાલમાં કૂદીને પતિ,પત્ની અને બાળકે આપઘાત કર્યો છે, વ્યાજખોરો સામે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પોલીસને કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે.

પતિ-પત્ની અને બાળકે સામૂહિક આપઘાત કરતા જિલ્લામાં ખળભળાટ મચી છે, શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો છે અને વ્યાજખારોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે, સમગ્ર મામલે કડી પોલીસે કાર્યવાહી હાથધરી છે.

કડીના આદુંદરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ ઉંમર 36 વર્ષ અને બાળક પ્રકાશ પંચાલ ઉંમર 10 વર્ષ, પતિ ધર્મેશભાઈ પંચાલ ઉંમર 38 વર્ષનો મૃતદેહ મળ્યો છે. જે સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈ વ્યાજખોરના નામનો ઉલ્લેખ કર્યો નથી, ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધર્મેશ પંચાલે લખેલી સુસાઈડ નોટ:-

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ. મારે પણ જીવન જીવવાની ઘણી ઈચ્છા હતી પણ, થોડાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. એ લોકોએ મારો ફાયદો ઉઠાવ્યો અને વ્યાજના રૂપિયા પણ લીધા છે, મને બહુ જ હેરાન અને ટોર્ચરિંગ કરતા હતા. મારી જોડે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મને એવો ચકડોળમાં ફસાવ્યો કે બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો.

હું મરવા જાઉં છું અને જ્યારે આ પત્ર તમને મળશે ત્યારે, કદાચ હું આ દુનિયા છોડી ચૂક્યો હોઈશ. સરકારને વિનંતી કરું છું કે, આ લોકો મારી પત્ની અને મારા છોકરાને જીવવા દે. બધા ભેગા થઈને મને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા. હું થાકી ગયો છું.

 

કદાચ મારું એક્સિડન્ટ થાય તો એ લોકો જ જવાબદાર રહેશે. મને કોઈ જ રસ્તો દેખાતો નથી એટલે મારી જિંદગી ખલાસ કરી નાખીશ પછી એ બધાને શાંતિ થશે. સરકારને અપીલ કરું છું કે, મારી સાથે જે થયું એ બીજા સાથે ન થાય.

ઉર્મિલાને જણાવવા માગું છું કે, અત્યારસુધી તે મને બહુ જ સારો સપોર્ટ કર્યો. હું તારો સાથ નિભાવી ન શક્યો. તારા પર આપણા છોકરાની જવાબદારી મુકતો જાઉં છું. જો તું એને ન રાખી શકે તો એને અનાથ આશ્રમમાં મૂકી આવજે. ઉર્મિલા તું તારી જિંદગી બરબાદ ના કરતી. આપણા છોકરા ને શીખવાડજે કે, કોઈના પર વિશ્વાસ કરવો નહીં.

મારા ગયા પછી તને બધા લોકો હેરાન કરવા આવે તો પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બધાના નામ આપી દેજે. હું તને અડધે રસ્તે મૂકીને જાઉં છું, મને માફ કરજે. તારી જિંદગીમાં આગળ વધજે હજુ તારી એટલી ઉંમર નથી થઈ. જો તને કોઈ સારું ઘર મળે તો ઘર કરી લેજે અને પ્રકાશને આશ્રમમાં મૂકી દેજે. મહિનામાં એક-બે વખત મળવા માટે જજે.

તમને એકલો મૂકીને જવાનો જીવ તો નથી ચાલતો, પરંતુ મારી મજબૂરી છે, મારા કારણે હું શું કામ તમારો જીવ લઉં, મને આ લખતા બહુ જ ખોટું લાગે છે, તમને અડધે મુકીને જાઉં છું મને માફ કરજો..

લિ. ધર્મેશ પંચાલ