નવસારી : બીલીમોરાના જૈન દેરાસરમાંથી કિંમતી મૂર્તિઓ, સોના-ચાંદી સહિત રોકડની ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં આવેલ સ્થિત જૈન દેરાસરમાં ચોરી થતાં પોલીસે ડોગ સ્કવોર્ડ સહિત CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

New Update
  • ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરની ઘટના

  • ગોહરબાગ વિસ્તારના જૈન દેરાસરમાં થઈ ચોરી

  • કિંમતી મૂર્તિઓસોના-ચાંદી સહિત રોકડની ચોરી

  • બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડ્યા

  • ડોગ સ્કવોર્ડ સહિતCCTVના આધારે પોલીસ તપાસ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં આવેલ સ્થિત જૈન દેરાસરમાં ચોરી થતાં પોલીસે ડોગ સ્કવોર્ડ સહિતCCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

નવસારી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળતી જઇ રહી છે. એટલું જ નહીં ચોરી લૂંટફાટના બનાવમાં પણ નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છેત્યારે ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરના ગોહરબાગ વિસ્તારમાં આવેલ જૈન દેરાસરમાં તસ્કરોએ હાથ અજમાવ્યો હતો. તસ્કરોએ દેરાસરમાં પ્રવેશ કરી કિંમતી મૂર્તિઓસોના-ચાંદી સહિત રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે બાદ સવારે દેરાસરના પૂજારી આવતા સામાન વેરવિખેર જોઈ આગેવાનો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા જોતાં બીલીમોરા પોલીસ સહિત ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતાજ્યાં પોલીસે ચોરી અંગે ફરિયાદ નોંધી ડોગ સ્કવોર્ડ સહિતCCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કેશિયાળાની શરૂઆત થતાં જ ચોરીની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છેત્યારે પોલીસના નાઈટ પેટ્રોલિંગ ઉપર પણ લોકોએ સવાલ ઉઠાવ્યા છે.

Read the Next Article

“એક ટીપું પાણી નહીં, એક ઇંચ જમીન નહીં” : વલસાડના નડગધરી ગામેથી જીજ્ઞેશ મેવાણી-અનંત પટેલનો હુંકાર...

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી

New Update

ધરમપુર તાલુકાના નડગધરી ગામ ખાતે યોજાયો કાર્યક્રમ

ભગવાન બિરસામુંડાની પ્રતિમાનુંઅનાવરણ કરવામાં આવ્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિ

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ રહ્યા વિશેષ ઉપસ્થિત

પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી તેમજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું છેત્યારે વાંસદા ધારાસભ્ય અનંત પટેલે 2 હજાર જેટલા લોકોને શપથ લેવડાવ્યા હતા. જેમાં પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા સાથેએક ટીપું પાણી નહીંએક ઇંચ જમીન નહીંના સૂત્રોચ્ચાર થકી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વધુમાં આગામી તા. 14ના રોજ ધરમપુર ખાતે પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી પણ યોજાશે.

તો બીજી તરફગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીએ પાર તાપી રિવર લિંક પ્રોજેકટમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થયો હોવાનું જણાવ્યુ હતું. 50 વર્ષથી વધુના રેકોર્ડ માંગીને આદિવાસી સમાજનો એક વર્ગ શિક્ષણ-રાજકીય પ્રતિનિધિત્વ અને સરકરી નોકરીથી વચિંત રહે તેવો સરકારનો કારસો તેમજ ભાજપ સરકાર આદિવાસી સમાજ સાથે છેતરપિંડી કરતી હોવાનો જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો.