નવસારી: મધર ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પાણી ઉમેરવાનું કૌભાંડ ઝડપાયું,SOGએ ચાર આરોપીની કરી ધરપકડ

નવસારીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિસ્તારના અવાવરું જગ્યામાં મધર ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હતો,જોકે SOG પોલીસે આ ચોરીનો પર્દાફાશ કરીને ચાર આરોપીની ધરપકડ કરી હતી.

New Update
  • મધર ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરીનું કૌભાંડ

  • જૂનાગઢની મધર ડેરીથી ટેન્કર મુંબઈ જતું હતું

  • SOGએ કર્યો દૂધ ચોરીનો પર્દાફાશ

  • પોલીસે ચાર આરોપીની કરી ધરપકડ

  • આરોપીઓ દૂધ ચોરી કરીને ટેન્કરમાં ભરતા હતા પાણી

નવસારીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિસ્તારના અવાવરું જગ્યામાં મધર ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હતો,જોકે SOG પોલીસે આ ચોરીનો પર્દાફાશ કરીને ચાર આરોપીની ધરપકડ કરી હતી.

નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અવાવરું વિસ્તારમાં રાત્રીના સમયે  જુનાગઢ મધર ડેરીના દુધના ટેન્કરના ચાલક તથા ક્લીનર તેમજ નવસારીનાં બે પશુપાલકોએ એકબીજાની મદદગારીથી ટેન્કરમાંથી દુધની ચોરી કરતા હતા.જે અંગેની મળેલી બાતમીને આધારેSOGની ટીમે રેડ કરી હતી,પોલીસની રેડમાં દૂધના ટેન્કરમાંથી આરોપીઓ ચાલાકી પૂર્વક દૂધની ચોરી કરીને અન્ય નાના ટેન્કરમાં ભરીને વેચવાના ઇરાદે ચોરી કરી રહ્યા હતા.SOGની ટીમે ટેન્કર ચાલક સહિત ચારની અટક કરી હતી. 

પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ દ્વારા દૂધના ટેન્કરને લગાડેલા તાળાનું સીલ તોડીતાળુ ચાવી વડે ખોલી ટેન્કરમાં પ્લાસ્ટીકનો પાઇપ નાખી અન્ય ટેન્કરમાં 200 લીટર દૂધ રૂપિયા 8000નુ ભરી ચોરી કરતા હતા,અને ટેન્કરમાં પાણી ભરી દેતા હતા,પોલીસે દૂધના ટેન્કર ચાલક ફઝર મહમદ મન્સૂરી,અને ક્લીનર સમીરખાન ચૌધરી,કિરણ અર્જુનભાઈ ભરવાડઅર્જુન નગાભાઇ ભરવાડને રંગેહાથ ઝડપી લઇ  તેઓના વિરુદ્ધ કાર્યવાહી કરી રૂપિયા 12 લાખ 36 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ ગ્રામ્ય પોલીસ કરી રહી છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.