નવસારી: વહીવટી તંત્રે દરિયાકિનારે સહેલગાહે જતાં સહેલાણીઓ માટે જાહેર કરી એડવાઇઝરી

નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તહેવાર નિમિત્તે સહેલગાહે આવતા સહેલાણીઓની સુરક્ષા તેમજ સલામતીને ધ્યાનમાં રાખીને એક એડવાઈઝરી જાહેર કરી.......

New Update

નવસારી જિલ્લા વહીવટી તંત્રે જાહેર કરી એડવાઇઝરી

તહેવારોને ધ્યાનમાં રાખીને તંત્રે જાહેર કરી એડવાઇઝરી 

જિલ્લા તેમજ પોલીસ કંટ્રોલરૂમના નંબર પણ કરાયા જાહેર  

દરિયામાં આવતી ભરતી અંગેની સૂચનાના બોર્ડ પણ મુકાયા 

લાઇફ ગાર્ડ અને SDRFના જવાનોને પણ તૈનાત કરાયા 

નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને લોકોની સુરક્ષા સલામતી હેતુ એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તહેવાર નિમિત્તે સહેલગાહે આવતા સહેલાણીઓની સુરક્ષા તેમજ સલામતીને ધ્યાનમાં રાખીને એક એડવાઈઝરી જાહેર કરી છે,જેમાં જણાવવામાં આવ્યું છે કે જન્માષ્ટમીની રજાઓમાં લોકો ઉભરાટ અને દાંડી દરિયા કિનારે ફરવા માટે જતા હોય છે,ત્યારે લોકોને દરિયાના ઉંડા પાણીમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે.

અને સહેલાણીઓની સુરક્ષા સલામતીને ધ્યાનમાં રાખીને બંને બીચ પર લાઇફ ગાર્ડ તેમજ SDRFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભરતીના સમયના બોર્ડ બીચ ઉપર મૂકીને લોકોને દરિયાના તોફાની પાણીથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે, અને આપાતકાલીન પરિસ્થિતિમાં લોકોને જિલ્લા કંટ્રોલરૂમ અને પોલીસ કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.