નવસારી: વહીવટી તંત્રે દરિયાકિનારે સહેલગાહે જતાં સહેલાણીઓ માટે જાહેર કરી એડવાઇઝરી

નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તહેવાર નિમિત્તે સહેલગાહે આવતા સહેલાણીઓની સુરક્ષા તેમજ સલામતીને ધ્યાનમાં રાખીને એક એડવાઈઝરી જાહેર કરી.......

New Update

નવસારી જિલ્લા વહીવટી તંત્રે જાહેર કરી એડવાઇઝરી

તહેવારોને ધ્યાનમાં રાખીને તંત્રે જાહેર કરી એડવાઇઝરી 

જિલ્લા તેમજ પોલીસ કંટ્રોલરૂમના નંબર પણ કરાયા જાહેર  

દરિયામાં આવતી ભરતી અંગેની સૂચનાના બોર્ડ પણ મુકાયા 

લાઇફ ગાર્ડ અને SDRFના જવાનોને પણ તૈનાત કરાયા 

નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને લોકોની સુરક્ષા સલામતી હેતુ એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તહેવાર નિમિત્તે સહેલગાહે આવતા સહેલાણીઓની સુરક્ષા તેમજ સલામતીને ધ્યાનમાં રાખીને એક એડવાઈઝરી જાહેર કરી છે,જેમાં જણાવવામાં આવ્યું છે કે જન્માષ્ટમીની રજાઓમાં લોકો ઉભરાટ અને દાંડી દરિયા કિનારે ફરવા માટે જતા હોય છે,ત્યારે લોકોને દરિયાના ઉંડા પાણીમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે.

અને સહેલાણીઓની સુરક્ષા સલામતીને ધ્યાનમાં રાખીને બંને બીચ પર લાઇફ ગાર્ડ તેમજ SDRFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભરતીના સમયના બોર્ડ બીચ ઉપર મૂકીને લોકોને દરિયાના તોફાની પાણીથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે, અને આપાતકાલીન પરિસ્થિતિમાં લોકોને જિલ્લા કંટ્રોલરૂમ અને પોલીસ કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.