-
શહેરના લુંસીકુઈ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું આયોજન
-
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન
-
યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલ રહ્યા ઉપસ્થિત
-
યોગ શિબિરમાં 3 હજારથી વધુ લોકોએ યોગાભ્યાસ કર્યો
-
લોકોને યોગ, વ્યાયામ અને પ્રાણાયામ શીખવવામાં આવ્યા
નવસારી શહેરના લુંસીકુઈ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાય હતી. સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અતંર્ગત નવસારી શહેરના લુંસીકુઈ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલની અધ્યક્ષતામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યોગ શિબિરમાં 3 હજારથી વધુ લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. યોગસેવક શીશપાલ દ્વારા મેદસ્વિતા ઘટાડવા ઉપયોગી યોગ તેમજ વ્યાયામ અને પ્રાણાયામ શીખવવામાં આવ્યા હતા. આગમની દિવસોમાં જિલ્લાના 125 યોગ કેન્દ્રો ઉપર મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અતંર્ગત યોગ વર્ગોનું આયોજન હાથ ધરવામાં આવનાર છે, ત્યારે નવસારીજનોને યોગ થકી મેદસ્વિતા મુક્ત રહી નિરોગી રહેવા યોગ વર્ગોનો લાભ લેવા વિશેષ અપીલ કરવામાં આવી હતી.