ભરૂચ : નેત્રંગના ખરાઠા ગામે .BSNLના ટાવર પરથી વાયરોની ચોરી કરતાં 4 ઇસમો ઝડપાયા
નેત્રંગ તાલુકાના ખરાઠા ગામ નજીક બી.એસ.એન.એલ.ના મોબાઈલ ટાવર પરથી વાયરોની ચોરી કરી ભાગવા જતા ચાર ઇસમોને ગ્રામજનોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા.
BY Connect Gujarat31 March 2022 4:13 PM GMT
X
Connect Gujarat31 March 2022 4:13 PM GMT
નેત્રંગ તાલુકાના ખરાઠા ગામ નજીક બી.એસ.એન.એલ.ના મોબાઈલ ટાવર પરથી વાયરોની ચોરી કરી ભાગવા જતા ચાર ઇસમોને ગ્રામજનોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા.
નેત્રંગ તાલુકાના ખરાઠા ગામ નજીક બી.એસ.એન.એલ.ના મોબાઈલ ટાવર આવેલ છે. જે ટાવરને પિકઅપ લઈને આવેલ ચાર ઈસમોએ નિશાન બનાવ્યો હતો અને ટાવર પરથી કેબલોના 6 નંગ બંડલ મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ લઈ ફરાર થઇ રહ્યા હતા. જેઓને ગ્રામજનોએ પકડી પાડી નેત્રંગ પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા તેઓના સુપરવાઈઝર સંજય ચૌધરીએ કેબલ લેવા મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે સુપરવાઈઝર સહિત ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Next Story