Connect Gujarat
ગુજરાત

NIA અને ગુજરાત ATSનું રાજ્યના 4 શહેરોમાં ઓપરેશન,દેશવિરોધી ગતિવિધિની માહિતીના પગલે તપાસનો ધમધમાટ

NIA અને ગુજરાત ATS દ્વારા રાજ્યના અમદાવાદ,ભરૂચ, સુરત અને નવસારીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

X

NIA અને ગુજરાત ATS દ્વારા રાજ્યના અમદાવાદ,ભરૂચ, સુરત અને નવસારીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દેશ વિરોધી પ્રવૃત્તિની માહિતીના પગલે ત્રણ જેટલા લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે

ગુજરાત એટીએસ અને એનઆઈએ દ્વારા દેશભરમાં દેશ વિરોધી ચાલતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ દેશ વિરોધી કૃત્ય કરતા હોય તો તેની તપાસના આધારે તેની પૂછપરછ કરીને કામગીરી કરતી હોય છે. આજે અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં ગુજરાત એટીએસ અને એનઆઈએની ટીમ પહોંચી હતી. સુરતમાંથી એક અને ભરૂચના આમોદ તેમજ કંથારીયામાંથી 2 મળી હાલ ત્રણ શખ્શોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. એનઆઈએ અને એટીએસની કાર્યવાહીને લઇને ચારેય શહેરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.ગુજરાત એટીએસ દ્વારા આજે અમદાવાદ, સુરત, નવસારી, ભરૂચની કેટલીક શકમંદ જગ્યાઓ પર રેડ કરી હતી. આ સમગ્ર મામલે એટીએસ દ્વારા હાલ જણાવવામાં આવ્યું છે કે હાલ આનઆઈએ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ ચાલી રહી છે અને ત્રણ લોકોનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે પરંતુ હાલ આ તપાસ ખૂબ નાજુક તબક્કામાં હોવાથી તે અંગે વધારે વિગત મળી શકે તેમ નથી. જોકે, એટલું ચોક્કસ છે કે આ તત્વો દેશ વિરોધી કૃત્ય કરવામાં ક્યાંક સામેલ હતા. ત્રણના સબંધો હાલ તપાસ એજન્સીની રડારમાં છે.

Next Story