"ઓપરેશન સાયબર સ્ટોર્મ" : નવસારી પોલીસે રૂ. 3 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો, 35 આરોપીઓની ધરપકડ

સાયબર ક્રાઈમને નાથવા માટે "ઓપરેશન સાયબર સ્ટોર્મ" હેઠળ નવસારી જિલ્લા પોલીસે સાયબર ફ્રોડના ગુન્હામાં સંડોવાયેલા 35 આરોપીઓની ધરપકડ કરી રૂ. 3 કરોડની ઠગાઈનો પર્દાફાશ કર્યો છે.

New Update
  • "ઓપરેશન સાયબર સ્ટોર્મ" હેઠળ પોલીસની કાર્યવાહી

  • નવસારી પોલીસે રૂ. 3 કરોડની ઠગાઈનો પર્દાફાશ કર્યો

  • પોલીસે સાયબર ફ્રોડના વિવિધ ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો

  • ગુન્હામાં સંડોવાયેલા 35 આરોપીઓની ધરપકડ કરાય

  • સાયબર ક્રાઈમ અંકુશમાં લાવવામાં મહત્વપૂર્ણ અભિયાન

સાયબર ક્રાઈમને નાથવા માટે "ઓપરેશન સાયબર સ્ટોર્મ" હેઠળ નવસારી જિલ્લા પોલીસે સાયબર ફ્રોડના ગુન્હામાં સંડોવાયેલા 35 આરોપીઓની ધરપકડ કરી રૂ. 3 કરોડની ઠગાઈનો પર્દાફાશ કર્યો છે.

નવસારી જિલ્લા પોલીસે સાયબર ક્રાઈમ પર લગામ કસવા માટે એક મોટું અભિયાન છેડ્યું છેજેને "ઓપરેશન સાયબર સ્ટોર્મ" નામ આપવામાં આવ્યું છે. આ કાર્યવાહી ગુજરાતના સુરતભરૂચભાવનગરરાજકોટઅમદાવાદ તેમજ રાજસ્થાનના જયપુર અને મહારાષ્ટ્રના મુંબઈ સહિત કુલ 7 જિલ્લાઓમાં કરવામાં આવી હતી. આ અભિયાન માટે નવસારી પોલીસે કુલ 9 ટીમો બનાવી હતી. આ ટીમોમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ ઉપરાંતLCB, SOG, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને સ્થાનિક પોલીસ સ્ટેશનોના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઓપરેશન અંતર્ગત નવસારી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નાણાકીય છેતરપિંડીના કુલ 10 ગુન્હાઓમાં સંડોવાયેલા 35 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ ગુજરાતરાજસ્થાન અને મહારાષ્ટ્રના 7 અલગ અલગ જિલ્લાઓમાંથી ઝડપાયા છે.

"ઓપરેશન સાયબર સ્ટોર્મ" દરમિયાન 5 મુખ્ય પ્રકારની સાયબર ઠગાઈની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડફેસબુક આઈ.ડી. ફ્રોડશેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડઑનલાઇન ટ્રેડિંગ ફ્રોડખેતીવાડી લેણદેણી સંકળાયેલા ફ્રોડ સહિત કેટલાક અન્ય પ્રકારના ઇલેક્ટ્રોનિક ચીટિંગના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ ઓપરેશનમાં કુલ રૂ. 3 કરોડ 1 લાખ 35 હજારથી વધુની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. તમામ આરોપીઓ સામે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે અને હાલ રિમાન્ડ પ્રક્રિયા ચાલી રહી છે. આરોપીઓની પૂછપરછના આધારેઅત્યાર સુધીમાં 10 જેટલા આરોપીઓને નાસતા ફરતા જાહેર કરવામાં આવ્યા છેજેમની ધરપકડ માટે પણ તીવ્ર પગલાં લેવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેનવસારી પોલીસે "ઓપરેશન સાયબર સ્ટોર્મ" દ્વારા સાયબર ગુનેગારોને સકંજામાં લેવામાં મોટી સફળતા મેળવી છેજે સાયબર ક્રાઈમને અંકુશમાં લેવા માટે એક મહત્વપૂર્ણ કદમ છે.

Read the Next Article

ભરૂચ : વાલિયાના ડેહલી ગામે 20 હજાર વૃક્ષોના વાવેતર થકી માતૃવનનું નિર્માણ, વનમંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે "એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.

New Update

વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે કરાયું આયોજન

"એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગત કાર્યક્રમ

વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષપદે કાર્યક્રમ

વિશાળ જગ્યામાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરાયું

મોટી સંખ્યામાં મહાનુભાવો-વૃક્ષપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાનાવાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે "એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગતરાજ્યનાવનઅનેપર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાંમિયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે "એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગત રાજયકક્ષાવનપર્યાવરણ અને કલાયમેન્ટ ચેન્જજળ સંપતી અને પાણી પુરવઠાગુજરાત રાજય વિભાગના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષપદે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિશાળ જગ્યામાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ વૃક્ષપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું. 2 હેક્ટર જમીનમાં 20 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી માતૃવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આવનારી પેઢી માટે વૃક્ષોની મહત્વતા અંગે માર્ગદર્શન આપતા વનમંત્રીએ જણાવ્યું હતું કે,  ભરૂચ જિલ્લામાં ડેહલી ગામથી એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. માતા સાથોનો આપણો સંબંધ સૌથી વિશેષ અને અમૂલ્ય હોય છે. દુનિયાનો કોઈપણ વ્યક્તિ માનું ઋણ ચૂકવી શકતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાનું ઋણ ચૂકવવા ભારતની જનતાને આહવાન કર્યુ હતું.PM મોદીએ આપેલા આહ્વાનને કેન્દ્રમાં લઈને દરેક નાગરિકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને પર્યાવરણ હિતેષી અભિગમને જનઆંદોલન બનાવી સફળ બનાવવા માટે સહભાગી બન્યા હતા. ગતવર્ષ "એક પેડ માં કે નામ" અભિયાન અંર્તગત ગુજરાતમાં 17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર થયું હતું. જેમાં ગત વર્ષે ભરૂચ જિલ્લાએ સર્વાધિક 48 લાખ છોડનું વાવેતર કરી રેકોર્ડબ્રેક કામગીરી કરી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષરથને લીલી ઝંડી આપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવા માટે સર્વને વૃક્ષારોપણ કરવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીજિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાસમાજીક વનીકરણ વર્તુળ ભરૂચ વિભાગના વન સંરક્ષક આનંદ કુમારવન વર્તુળ સુરત વિભાગના વન સંરક્ષક પુનિત નૈચ્યર, SRPF-CRPF કેમ્પના જવાનો, NCC કેડેડપોલીસ જવાનોસખી મંડળો સહિત માતાબહેનોશાળાના વિદ્યાર્થીઓવનકર્મીઓ તેમજ મોટી સંખ્યામાં વૃક્ષપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.