દવા લેવા પાટણ જતાં મુસાફરનો રાધનપુર એસટી. ડેપોમાંથી નીકળતી બસે લીધો જીવ…
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં એસટી. બસની અડફેટે આવી જતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.
BY Connect Gujarat Desk13 Oct 2023 12:14 PM GMT
X
Connect Gujarat Desk13 Oct 2023 12:14 PM GMT
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં એસટી. બસની અડફેટે આવી જતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.
પાટણ જિલ્લાના રાધનપુર એસટી. ડેપોમાંથી નીકળતી રાધનપુર-ભીલોટ રૂટની બસ નીચે આવી જતાં એક વ્યક્તિનું મોત ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, રાધનપુર તાલુકાના રંગપુરા ગામે રહેતા હમીરભાઈ ઠાકોર દવા લેવા પાટણ આવવા માટે એસટી. ડેપોમાં ખાતે જઈ રહ્યા હતા. આ દરમ્યાન રાધનપુર એસટી. ડેપોમાંથી નીકળતી એસટી. બસની અડફેટે આવી જતાં તેઓનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થયા હતા. તો બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો તેમજ રાધનપુર પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તો બીજી તરફ, એસટી. બસના ડ્રાઈવર અને કંડક્ટર પણ રાધનપુર પોલીસ મથકે પહોચ્યા હોવાનું જાણવા મળ્યું છે.
Next Story