પાટણ : રાધનપુર હાઇવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, 4 ના મોત.

પાટણના રાધનપુર હાઇવે પર મોડી રાત્રિ દરમ્યાન અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી.આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યાં હતા તેમજ 10 થી વધુ લોકો ઘાયલ થયા છે.

New Update

પાટણના રાધનપુર હાઇવે પર મોડી રાત્રિ દરમ્યાન અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી.આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યાં હતા તેમજ 10 થી વધુ લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર  પાટણ જિલ્લાના રાધનપુર - સમી હાઇવે પર મોડી રાત્રે અકસ્માતની ઘટના બનવા પામી હતી, એસ.ટી બસ અને ટ્રક વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. બસ આણંદ થી રાપર જય રહી હતી જે દરમ્યાન બસને અક્સ્માત નડ્યો હતો . અકસ્માતની આ ઘટનામાં ચાર લોકોના મોત નીપજયાં હતા તો 10 કરતા વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ 108 અને રાધનપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના રાધનપુર સમી વચ્ચે આવેલ ખારિયાના પુલ ઉપર બની હોવાનું સામે આવ્યું છે. ઘાયલો ને સારવાર હેઠળ મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories