પાટણ : રાધનપુર હાઇવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, 4 ના મોત.

પાટણના રાધનપુર હાઇવે પર મોડી રાત્રિ દરમ્યાન અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી.આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યાં હતા તેમજ 10 થી વધુ લોકો ઘાયલ થયા છે.

New Update

પાટણના રાધનપુર હાઇવે પર મોડી રાત્રિ દરમ્યાન અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી.આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યાં હતા તેમજ 10 થી વધુ લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર  પાટણ જિલ્લાના રાધનપુર - સમી હાઇવે પર મોડી રાત્રે અકસ્માતની ઘટના બનવા પામી હતી, એસ.ટી બસ અને ટ્રક વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. બસ આણંદ થી રાપર જય રહી હતી જે દરમ્યાન બસને અક્સ્માત નડ્યો હતો . અકસ્માતની આ ઘટનામાં ચાર લોકોના મોત નીપજયાં હતા તો 10 કરતા વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ 108 અને રાધનપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના રાધનપુર સમી વચ્ચે આવેલ ખારિયાના પુલ ઉપર બની હોવાનું સામે આવ્યું છે. ઘાયલો ને સારવાર હેઠળ મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની કરાઇ બદલી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

New Update
રાજયમાં આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  

આ બદલીઓમાં પ્રથમ નામ  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

જ્યારે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.  

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ છે.  એમ. થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા છે.  રમેશ મીણા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ બન્યા છે.  મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા છે.  આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે.  તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા છે.  

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા છે.  ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા છે.  નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. 

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ  તોરવાણે, IAS ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.