પાટણ : રાધનપુર હાઇવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, 4 ના મોત.

પાટણના રાધનપુર હાઇવે પર મોડી રાત્રિ દરમ્યાન અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી.આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યાં હતા તેમજ 10 થી વધુ લોકો ઘાયલ થયા છે.

New Update

પાટણના રાધનપુર હાઇવે પર મોડી રાત્રિ દરમ્યાન અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી.આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યાં હતા તેમજ 10 થી વધુ લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર  પાટણ જિલ્લાના રાધનપુર - સમી હાઇવે પર મોડી રાત્રે અકસ્માતની ઘટના બનવા પામી હતી, એસ.ટી બસ અને ટ્રક વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. બસ આણંદ થી રાપર જય રહી હતી જે દરમ્યાન બસને અક્સ્માત નડ્યો હતો . અકસ્માતની આ ઘટનામાં ચાર લોકોના મોત નીપજયાં હતા તો 10 કરતા વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ 108 અને રાધનપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના રાધનપુર સમી વચ્ચે આવેલ ખારિયાના પુલ ઉપર બની હોવાનું સામે આવ્યું છે. ઘાયલો ને સારવાર હેઠળ મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

આદિપુરથી અંજાર તરફ જતાં રોડ પર કિશોરી પર દુસ્કર્મ કરવાના બનાવમાં બે આરોપીઓની કરાઇ ધરપકડ

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા. 

New Update
aadipur

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા.  ત્યારે રસ્તામાં બે અજાણ્યા ઇસમોએ તેને આંતરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી હતી.

બાદ, તેમાંથી એક આરોપી પોલીસ સ્ટેશનમાં લઈ જવાના બહાને કિશોરીને મોપેડમાં બેસાડી અપહરણ કરી, રસ્તામાં કોઇ ટેકરા જેવી જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં દુસ્કર્મ આચરવામાં આવ્યુ હતુ ઘટના બાદ પીડિતાએ પરિવારજનોને જાણ કરતાં પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરતાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં મહેશ ઉર્ફે ડાભલો  મોતીભાઈ કોલી, સંદીપભાઈ ઘનશ્યામગર ગુસાઈ ની ધરપકડ કરવામાં આવી છે.