પાટણ : ગટરના પાણી અને કીચડના સામ્રાજ્ય વચ્ચે હારીજના સ્થાનિકો નનામી કાઢવા મજબૂર બન્યા...

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર પાટણ જિલ્લામાં તંત્ર દ્વારા સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે હારિજના ધૂણીયા વિસ્તારમાં સ્વચ્છતાના નામે ફક્ત નાટક થતું હોય તેમ લાગી રહ્યુ છે.

New Update

હારીજના ધૂણીયા વિસ્તારમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય

ગટરના પાણીકાદવ-કીચડની સમસ્યાથી લોકો ત્રસ્ત

ગંદકીના સામ્રાજ્ય વચ્ચે સ્મશાન યાત્રા કાઢવા મજબુરી

છેલ્લા એક વર્ષથી સ્થાનિકો દ્વારા તંત્રને કરાય રજૂઆત

સમસ્યાનો સત્વરે અંત લાવવા સ્થાનિકો દ્વારા માંગ ઉઠી

પાટણ જિલ્લાના હારીજના ધૂણીયા વિસ્તારમાં ઠેરઠેર ગંદકીના સામ્રાજ્ય વચ્ચે સ્મશાન યાત્રા કાઢવા સ્થાનિકો મજબુર બન્યા હતાત્યારે કાયમી ધોરણે ગટરના ઉભરાતા પાણી અને કાદવ-કીચડની સમસ્યાનો સત્વરે અંત લાવવા માંગ ઉઠી છે.

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર પાટણ જિલ્લામાં તંત્ર દ્વારા સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છેત્યારે હારિજના ધૂણીયા વિસ્તારમાં સ્વચ્છતાના નામે ફક્ત નાટક થતું હોય તેમ લાગી રહ્યુ છે. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર છેલ્લા ઘણા સમયથી ઉભરાતી હોયજેથી કલેક્ટરમામલતદાર અને પાલિકામાં અનેકવાર રજુઆત કરવા છતાં ઉકેલ આવ્યો નથી. તેવામાં અહીના વિસ્તારમાં રહેતી એક મહિલાનું અવસાન થતાં તેમની અંતિમયાત્રામાં અસહ્ય ગંદકી અને કાદવ કિચ્ચડમાંથી કાઢવાની ફરજ પડી હતી. આવી અગવડતામાં મૃતકના પરિજનોને મહામુસીબતે ગટરના ગંદા પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવી પડી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કેછેલ્લાં એક વર્ષ કરતા વધારે સમયથી ભૂગર્ભ ગટર ઉભરાય છેતેની લેખિત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા નાછૂટકે કાદવ-કિચ્ચડમાંથી સ્મશાનયાત્રા કાઢવી પડી હતી. પાટણ નગરપાલિકાજિલ્લા વહીવટી તંત્ર તથા મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા તંત્રની ઉદાસીનતા સામે સ્થાનિકોમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.