PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં 25થી વધુ સભા ગજવશે, સમગ્ર રાજ્યને આવરી લેવાશે...

ભારતીય જનતા પાર્ટીએ પણ શરૂ કરી તૈયારી, ગુજરાતમાં PM મોદી 25થી વધુ સભા ગજવશે

New Update
PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં 25થી વધુ સભા ગજવશે, સમગ્ર રાજ્યને આવરી લેવાશે...

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દિવસ રાત એક કરીને કામગીરીમાં જોતરાઈ જશે. તો બીજી તરફ ચૂંટણી જાહેર થતા જ PM મોદીના પ્રચાર કાર્યક્રમોને પણ વેગ મળશે. જે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં 20થી 25 જાહેરસભાઓ ગજવશે. જે સમગ્ર રાજ્યને આવરી લેશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ઝોન વાઈઝ સભાઓનું આયોજન કરવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે. આ દરમિયાન PM મોદી ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં સભાઓ ગજવશે. આ સભાઓને લઈ પ્રદેશ ભાજપ દ્વારા પણ તૈયારી શરૂ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપના આગેવાનો PMO સાથે સતત સંપર્કમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ જનસભા દરમિયાન સ્થાનિકો અને કાર્યકર્તાઓને PM મોદી સંબોધન કરશે.

આ અંગે આગામી તા. 5 અને 6 નવેમ્બરે PMની અન્ય સભાનો તક્તો તૈયાર કરવામાં આવશે. આગામી ચૂંટણીમાં પ્રચારના અગ્રણી ચહેરાઓમાં ભાજપમાં નરેન્દ્ર મોદીનું નામ મોખરે છે. 2014 પછી મોટા ભાગના તમામ ચૂંટણીમાં વડાપ્રધાન મોદી ભાજપ માટેનો ચહેરો છે. વતનમાં વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક સમયથી રેલીઓ લોકાર્પણ-શિલાન્યાસ કરી રહ્યા છે. વધુમાં ભાજપ માટે ગૃહમંત્રી અમિત શાહ બીજો મોટો ચહેરો બની શકે છે. જે ગાંધીનગરના સાંસદ છે, અને તેમનું સમગ્ર રાજકારણ રાજ્ય પર કેન્દ્રિત રહ્યું છે.

Read the Next Article

વલસાડ : ધરમપુરમાં પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ

ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.

New Update
  • પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ

  • ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી

  • ડેમ બનવાથી આદિવાસી વિસ્તારો થશે ખાલી 

  • રાજ્યભરમાંથી આદિવાસી સમાજના યુવાનો જોડાયા

  • MLA અનંત પટેલઅમિત ચાવડા પણ રેલીમાં જોડાયા

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી.આ રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલકોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અનેક સ્થાનિક આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પારતાપી અને નર્મદાએ ત્રણેય નદીના નામ છે. એટલે આ પ્રોજેક્ટનું નામ છે પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ. પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટમાં કુલ 9 ડેમ બનાવવાની જોગવાઈ છે. જેમાં એક ઝરી ડેમ છે જે મહારાષ્ટ્ર-ગુજરાતની બોર્ડર પાસે નાસિકમાં બનશે. તેમાં 7 ગામના લોકોને અસર થશે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં મોહના કાવચડી ડેમ બનવાનો છે. જેમાં 12 ગામના લોકોને અસર થશે. ધરમપુર તાલુકાના પૈખેડ ડેમમાં 13 ગામ જશે.જ્યારે ધરમપુર તાલુકાના ચાસમાંડવા ડેમમાં 14 ગામ જશે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ચિકાર ડેમ બનવાનો છેજેમાં 12 ગામ જશે. વઘઇ તાલુકાના ડાબદર ડેમમાં 18 ગામ જશે અને તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેળવણ ડેમમાં 23 ગામ જશે. એટલે આ પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ થકી કુલ 118થી પણ વધારે ગામ અને તેની આસપાસના ગામડાના અંદાજે પાંચ લાખથી પણ વધારે લોકોને ગામ ખાલી કરીને બીજે વિસ્થાપિત થવું પડે તેમ છે. જ્યાં આ ડેમ બનવાના છે અને ગામો ખાલી કરવાના છે તે મોટાભાગે આદિવાસી વિસ્તાર છે.

DPR મુજબ સરકાર આ ડેમોનું પાણી મુંબઈ,સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઈ જવા માંગે છે. ભવિષ્યમાં મુંબઈની વસ્તીને પાણી પહોંચી શકે એટલા માટે ત્યાં અત્યારથી પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે. આ પંથકના આદિવાસીઓ કહે છે કે કોઈને પાણી મળે તેનાથી અમને કોઈ વાંધો નથી પરંતુ આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ નહીં થવા દઈએ.

2022માં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કેપાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ રદ કરવામાં આવે છે. ત્યારથી આ પ્રોજેક્ટને લઈને શાંતિનો માહોલ હતો. પરંતુ થોડા દિવસ પહેલા મીડિયામાં સમાચાર આવ્યા કે લોકસભામાં આ પ્રોજેકટનોDPR રજૂ થયો છેએટલે ફરી આ પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે.