કોલકાતા દુષ્કર્મ-હત્યા મામલે ગુજરાતભરમાં ઘેરા પડઘા

કોલકાતામાં ટ્રેઈની ડોકટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે, ત્યારે અમદાવાદ, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, વલસાડ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રેલી, કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શનો યોજાયા હતા.

New Update

કોલકાતામાં ટ્રેઈની ડોકટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છેત્યારે અમદાવાદઅમરેલીગીર સોમનાથસાબરકાંઠાવલસાડ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રેલીકેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શનો યોજાયા હતા.

કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં સમગ્ર ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે. ગુજરાતમાં મેડીકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ હડતાળ પાડ્યા બાદ IMAએ પણ 24 કલાક ઈમરજન્સી સિવાયની સેવા બંધ રાખવાની જાહેરાત કરી છે. તો બીજી તરફરાજ્યના વિવિધ વિસ્તારોમાં રેલીકેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શનો યોજાયા હતાત્યારે અમદાવાદમાં ભાજપ મહિલા મોરચા દ્વારા લાલ દરવાજા ખાતે મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોલકત્તામાં બનાવને પગલે મહિલા સુરક્ષાની નિંદા કરવા માટે મૌન રેલી સહિત કેન્ડલ માર્ચ યોજાય હતી.

કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો યોજાય રહ્યા છેત્યારે અમરેલી ખાતે પણ શાંતાબા મેડીકલ કોલેજના ઈન્ટર્ન ડોકટર્સોએ કલકત્તા દુષ્કર્મ ઘટનાના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજી હતી. કેન્ડલ માર્ચ દરમ્યાન ડો. જી.જે.ગજેરાએ જાહેરમાં પિસ્તોલ બતાવી હતી. જોકેપિસ્તોલ બતાવી જાહેરમાં શેખી મારનાર ડો. ગજેરા સામે પોલીસ દ્વારા ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

તો બીજી તરફગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ભાજપ મહિલા મોરચાની બહેનોએ મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજી હતી. આ સાથે જ પશ્વિમ બંગાળમાં મમતા બેનરજીના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી. વેરાવળ નગરપાલિકાથી ટાવર ચોક સુધીની કેન્ડલ માર્ચ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ઉષા કુશકિયાની આગેવાનીમાં યોજાય હતી. આ ઘટનાને મહિલાઓએ આક્રોશ સાથે સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

પશ્ચિમ બંગાળમાં ડોક્ટર મહિલાની દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને સાબરકાંઠા ભાજપ મહિલા મોરચા સહિત વિવિધ સામાજિક સંસ્થાની મહિલાઓ સહિત ડોક્ટરનર્સ દ્વારા હિંમતનગર ટાવર ખાતેથી કેન્ડલ માર્ચ સહિત હાથમાં વિવિધ બેનરો સાથે મૌન રેલી યોજાય હતી. દુષ્કર્મ અને હત્યા જેવા કિસ્સાઓ વધી રહ્યા છેત્યારે પશ્ચિમ બંગાળમાં ડોક્ટર મહિલા પર દુષ્કર્મ અને હત્યાના સંડોવાયેલા નરાધામો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી.

આ તરફદક્ષિણ ગુજરાતમાં પણ કોલકતા દુષ્કર્મ અને હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દાદરા નગરહવેલીના સેલવાસની નમો મેડિકલ કોલેજ અને પ્રદેશના  રેસિડેન્ટ ડોકટરોએ કેન્ડલ માર્ચ યોજી હતી. સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલથી શરૂ થયેલી કેન્ડલ માર્ચ વિવિધ જાહેર માર્ગો પર ફરી હતી. જેમાં પીડિતાના પરિવારને ન્યાય મળે અને આરોગ્ય વર્કરોની સુરક્ષા માટે સરકાર દ્વારા કડક નિયમો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ : માછી સમાજના આગેવાન કમલેશ મઢીવાલા 20 કાર્યકરો સાથે AAPમાં જોડાયા !

ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે માછી સમાજના આગેવાન અને સામાજિક કાર્યકર કમલેશ મઢી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.આવનારા સમયમાં રાજ્યમાં

New Update

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારી

આપમાં આગેવાનો જોડાયા

માછી સમાજના આગેવાને આપનો ખેસ પહેર્યો

આપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

વિવિધ પ્રશ્ને ચલાવી છે લડત

ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે માછી સમાજના આગેવાન અને સામાજિક કાર્યકર કમલેશ મઢી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.

આવનારા સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી યોજનાર છે ત્યારે ભરૂચ જિલ્લામાં અત્યારથી જ ચહલપહલ જોવા મળી રહી છે. ભરૂચમાં માછી સમાજના આગેવાન, સમાજ સેવક અને વ્યવસાયે ધારાશાસ્ત્રી એવા કમલેશ મઢીવાલા તેમની 20થી વધુ લોકોની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના પ્રભારી રામ ધડુક, પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, ભરૂચ જિલ્લા આપના પ્રમુખ પિયુષ પટેલ તેમજ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ તેઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો. કમલેશ 

મઢીવાલા ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્તો તેમજ માછી સમાજના વિવિધ પ્રશ્નો અને ઔદ્યોગિક વિસ્તારના લોકોના વિવિધ પ્રશ્નો માટે છેલ્લા કેટલાય સમયથી લડત ચલાવી રહ્યા હતા ત્યારે તેઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આવનારા સમયમાં તેઓ રાજકીય પ્લેટફોર્મ પરથી લોકોના પ્રશ્નો ઉજાગર કરશે તેવો દાવો કરવામાં આવ્યો છે.