સાબરકાંઠા : હિંમતનગરના રાયગઢમાં વૈજનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં કાચનું 21 ફૂટ ઊંચા શિવલિંગનું કરાયું નિર્માણ

સાબરકાંઠાના હિંમતનગરના રાયગઢમાં વૈજનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં શિવરાત્રી નિમિત્તે કાચનું  21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગનુ નિર્માણ કરાયુ છે.જે શિવરાત્રીના રોજ ભક્તિ માટે દર્શન અર્થે ખુલ્લું મુકવામાં આવશે.

New Update
  • હિંમતનગરના રાયગઢમાં શિવરાત્રીની તૈયારી

  • વૈજનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી કરશે ઉજવણી

  • ગામના યુવાનોએ કાચનું 21 ફૂટ ઊંચું શિવલિંગ બનાવ્યું

  • શિવરાત્રીના દિવસે ભક્તો કરશે તેજોમય શિવલિંગના દર્શન

  • 10 થી વધુ શિવસ્વરૂપ બનાવવામાં આવ્યા

સાબરકાંઠાના હિંમતનગરના રાયગઢમાં વૈજનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં શિવરાત્રી નિમિત્તે કાચનું  21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગનુ નિર્માણ કરાયુ છે.જે શિવરાત્રીના રોજ ભક્તિ માટે દર્શન અર્થે ખુલ્લું મુકવામાં આવશે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલા સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે શિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેક વિધ શિવલિંગનુ નિર્માણ કરવામાં આવે છે,ત્યારે આ મહાશિવરાત્રીએ 21 ફૂટ ઊંચું કાચનુ તેજોમય શિવલિંગ ગામના યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યુ છે.જે શિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવશે અને આ સાથે 10થી વધુ વિવિધ શિવ સ્વરૂપ બનાવવામાં આવી રહ્યા છે.

દર શિવરાત્રી નારિયેળરુદ્રાક્ષભસ્મઘીબરફ સહિતના શિવલિંગ બનાવવામાં આવતા હોય છે તો બાબા બર્ફાની અને અમરનાથ જેવુ ગુફાઓ પણ બનાવવામાં આવે છે.પરંતુ આ વખતે અલગ જ 1 થી 2 લાખ જેટલા કાચના ટુકડા માંથી છેલ્લા દોઢ માસથી આ તેજોમય શિવલિંગ બનાવવામાં આવી રહ્યુ છે.તો સાથે ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવી રહ્યા છે. જે મહાશિવરાત્રીના રોજ ખુલ્લુ મુકવામાં આવશે.ખાસ કરીને ભક્તોને દર્શન કરવા માટે કોઈ અગવડ ન પડે તે પ્રકારે ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સાથે રાત્રી દરમિયાન મહાઆરતી અને તેજોમય શિવલિંગ પર લાઈટ શો પણ કરવામાં આવશે સાથે ભક્તો માટે ફલાહારનુ આયોજન પણ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.