સાબરકાંઠા : હિંમતનગરના રાયગઢમાં વૈજનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં કાચનું 21 ફૂટ ઊંચા શિવલિંગનું કરાયું નિર્માણ

સાબરકાંઠાના હિંમતનગરના રાયગઢમાં વૈજનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં શિવરાત્રી નિમિત્તે કાચનું  21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગનુ નિર્માણ કરાયુ છે.જે શિવરાત્રીના રોજ ભક્તિ માટે દર્શન અર્થે ખુલ્લું મુકવામાં આવશે.

New Update
  • હિંમતનગરના રાયગઢમાં શિવરાત્રીની તૈયારી

  • વૈજનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી કરશે ઉજવણી

  • ગામના યુવાનોએ કાચનું 21 ફૂટ ઊંચું શિવલિંગ બનાવ્યું

  • શિવરાત્રીના દિવસે ભક્તો કરશે તેજોમય શિવલિંગના દર્શન

  • 10 થી વધુ શિવસ્વરૂપ બનાવવામાં આવ્યા

સાબરકાંઠાના હિંમતનગરના રાયગઢમાં વૈજનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં શિવરાત્રી નિમિત્તે કાચનું  21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગનુ નિર્માણ કરાયુ છે.જે શિવરાત્રીના રોજ ભક્તિ માટે દર્શન અર્થે ખુલ્લું મુકવામાં આવશે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલા સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે શિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેક વિધ શિવલિંગનુ નિર્માણ કરવામાં આવે છે,ત્યારે આ મહાશિવરાત્રીએ 21 ફૂટ ઊંચું કાચનુ તેજોમય શિવલિંગ ગામના યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યુ છે.જે શિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવશે અને આ સાથે 10થી વધુ વિવિધ શિવ સ્વરૂપ બનાવવામાં આવી રહ્યા છે.

દર શિવરાત્રી નારિયેળરુદ્રાક્ષભસ્મઘીબરફ સહિતના શિવલિંગ બનાવવામાં આવતા હોય છે તો બાબા બર્ફાની અને અમરનાથ જેવુ ગુફાઓ પણ બનાવવામાં આવે છે.પરંતુ આ વખતે અલગ જ 1 થી 2 લાખ જેટલા કાચના ટુકડા માંથી છેલ્લા દોઢ માસથી આ તેજોમય શિવલિંગ બનાવવામાં આવી રહ્યુ છે.તો સાથે ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવી રહ્યા છે. જે મહાશિવરાત્રીના રોજ ખુલ્લુ મુકવામાં આવશે.ખાસ કરીને ભક્તોને દર્શન કરવા માટે કોઈ અગવડ ન પડે તે પ્રકારે ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સાથે રાત્રી દરમિયાન મહાઆરતી અને તેજોમય શિવલિંગ પર લાઈટ શો પણ કરવામાં આવશે સાથે ભક્તો માટે ફલાહારનુ આયોજન પણ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે.

 

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.