સાબરકાંઠા : કેસરગંજના ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી નવો ચીલો ચાતર્યો,ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળની ખેતીમાં મેળવી સફળતા.

સાબરકાંઠા જિલ્લાના વડાલીના કેસરગંજના બાગાયત ખેતીના અનુભવી ખેડૂતે ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ નામના જામફળની ખેતીમાં સફળતા પ્રાપ્ત કરી છે.પ્રગતિશીલ ખેડૂત અન્ય ધરતીપુત્રો માટે પ્રેરણારૂપ બન્યા છે.

New Update
  • પ્રાકૃતિક ખેતીથી ખેડૂતે મેળવી સફળતા

  • છેલ્લા ત્રણ વર્ષના બાગાયતખેતીનો છે અનુભવ

  • ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળની ખેતીમાં મેળવી સફળતા

  • જામફળનાઉત્પાદનથી ખેડૂત થયા આર્થિક રીતે સધ્ધર

  • પ્રતિકિલોના 150ના ભાવે મળી રહ્યા છે જામફળ

સાબરકાંઠા જિલ્લાના વડાલીના કેસરગંજના બાગાયત ખેતીના અનુભવી ખેડૂતે ઓસ્ટ્રેલિયનરેડ ડાયમંડ નામના જામફળની ખેતીમાં સફળતા પ્રાપ્ત કરી છે.પ્રગતિશીલ ખેડૂત અન્ય ધરતીપુત્રો માટે પ્રેરણારૂપ બન્યા છે.

સાબરકાંઠાના વડાલીના કેસરગંજના ખેડૂત હરેશ પટેલે સીતાફળજામફળ સહિત અન્ય પાકો સાથે ખેતીવાડીની શરૂઆત કરી હતી.છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ બાગાયત ખેતીના અનુભવના આધારે હરેશભાઈએ ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ નામના જામફળની ખેતી શરૂ કરી છે.તેમને અંદાજિત 3 લાખની કિંમતના ખર્ચે ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળનું વાવેતર કર્યું હતું. ત્રણ વર્ષ બાદ હવે તેઓ માસિક 40 હજારથી વધારેનું ઉત્પાદન મેળવી રહ્યા છે. 

હરેશભાઈએ પ્રાકૃતિક ખેતી થકી જર જમીન અને વાતાવરણને કોઇપણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. ત્યારે હાલ બજારમાં મળતા જામફળ કરતા ઓસ્ટ્રેલિયન ડાયમંડ કિંગની મીઠા અન્ય બધા જ જામફળ કરતા કંઈક અનેરી તેમજ વિશેષ હોય છે. જેના પગલે પ્રતિ કિલોએ 150નો ભાવ આપીને પણ લોકો આ જામફળની ખરીદી કરે  છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.