સાબરકાંઠાના પ્રાંતિજનોબનાવ
પતંગ ચગાવતા બાળકીનેમળ્યું મોત
વીજ લાઈનમાંફસાઈ હતી પતંગ
પતંગ કાઢવાનો પ્રયત્ન કરતા બાળકીને લાગ્યો વીજ કરંટ
વીજ કરંટનેપગલે બાળકી કરુણ મોતનેભેટી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પતંગ ચગાવતી બાળકીને વીજકરંટ લાગતા બાળકી કરુણ મોતને ભેટી હતી.ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનોમાહોલ છવાય ગયો હતો.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજનાનાની ભાગોળ કહાર વાસ વિસ્તારમાં મકાનના ધાબા ઉપર પતંગ ચગાવતી બાળકીને વિજ કરંટ લાગ્યો હતો.મકાનનીપાછળ થી પ્રસાર થઈ રહેલ અગિયાર હજાર કેવીની વીજ લાઇનનાતારમાંપતંગ ફસાતા પતંગ કાઢનોપ્રયત્ન કરતા બાળકીને વીજ કરંટ લાગ્યો હતો.વીજ કરંટ લાગતા બાળકીશરીરનાભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી.અને સાથે રહેલા અન્ય બાળકોએ બુમાબુમ કરતા પરિવારજનો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા,અને બાળકીને તાત્કાલિક પ્રાંતિજ સિવિલ ખાતે લઈ જવામાં આવી હતી.પણ હાજર તબીબદ્વારા તેણીને મૃત જાહેર કરી હતી.
મૃતક બાળકી છાયા રાજુભાઇ મકવાણા પ્રાંતિજ ખાતે આવેલ ગુજરાતી શાળા નંબર-1 માંધોરણ-6માંઅભ્યાસ કરતી હતી.તો બાળકીના મોતને લઈને પરિવાર પડોશીઓ સગાસંબધીઓમાંશોકનુ મોજુ ફરી વળ્યુ હતું, અને સ્થાનિક રહીશો દ્વારા ભવિષ્યમાં આવી ઘટના ન બને તેને લઈને વીજ કંપનીને મકાન પાછળ રહેલા 11 કેવીની વીજ લાઇન હટાવવા માંગ કરવામાં આવી છે.