સાબરકાંઠા : કડિયાદરા કોઝ-વે પર નદીના પાણીમાં કાર તણાઇ, કારના બોનેટ પર બેસેલા મહિલા-યુવકનું રેસક્યું કરાયું

સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં સારા વરસાદના પગલે નદીમાં નવા નીર આવ્યા છે, ત્યારે કડિયાદરા નજીક કાર નદીના પાણીમાં તણાઈ જવાની ઘટના સર્જાય હતી.

New Update

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વડીયાવીરથી કડિયાદરા જતાં કોઝ-વે રોડ પર નદીના પાણીમાં કાર તણાઇ જતાં સ્થાનિકો અને તરવૈયાઓએ 2 લોકોનું રેસક્યું કર્યું હતું.

સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં સારા વરસાદના પગલે નદીમાં નવા નીર આવ્યા છેત્યારે કડિયાદરા નજીક કાર નદીના પાણીમાં તણાઈ જવાની ઘટના સર્જાય હતી. મળતી માહિતી અનુસારઈડર તાલુકાના વડીયાવીરથી કડિયાદરા જતાં કોઝ-વે રોડ પર કાર તણાઇ જવાની દુર્ઘટના સામે આવી છે. કોઝ-વે પરથી પસાર થતાં સમયે એક કાર પાણીમાં તણાઈ હતી. પાણીમાં તણાઈ જતાં કારમાં સવાર પરિવાર સલામત રીતે કારના બોનેટ પર બેસી જઈ પોતાના બચાવ કાર્યની રાહ જોઈ રહ્યો હતો. બનાવની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગના અધિકારી સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકેઘટના સ્થળે હાજર સ્થાનિકો અને તરવૈયાઓએ કાર સાથે પાણીમાં ફસાયેલા એક મહિલા સહિત એક યુવકનું સફળતા પૂર્વક રેસક્યું કરી સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પાણીમાં ફસાયેલા મહિલા અને યુવકનો આબાદ બચાવ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Read the Next Article

અમરેલી : વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વન વિભાગ-પ્રકૃતિ પ્રેમી-વિદ્યાર્થીઓએ “સિંહ બચાવો”ના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી...

આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગ, પ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • આજે 10મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસની ઉજવણી

  • વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા આયોજન કરાયું

  • ગીરની શાન ગણાતા સિંહો માટે જનજાગૃતિ રેલી યોજાય

  • સિંહના મુખોટા પહેરી અનેક વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા

  • સિંહોનું આધિપત્ય વધુને વધુ વિસ્તરે તેવો પ્રયાસ :RFO

આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગપ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ... ગીરની શાન ગણાતા સિંહો માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી માન અને મોભા સાથે દેશભરમાં ઉજવાય છેત્યારે સિંહોના સામ્રાજ્ય એવા અમરેલી જિલ્લામાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધારીખાંભાસાવરકુંડલારાજુલા સહિતના પંથકમાં શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરીને સિંહો બચાવવા માટે રેલી યોજી હતી. જેમાં વન વિભાગ સહિત પ્રકૃતિ પ્રેમીઓ પણ જોડાયા હતા. ગીરના ગ્રામીણ ગામડાઓ સાથે બૃહદ ગીરના ગામોમાં સિંહોનું આધિપત્ય વધુને વધુ વિસ્તરે તેવા સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રસંગે સાવરકુંડલા વનવિભાગના અધિકારીઓશિક્ષણ વિભાગપોલીસ અને રાજકીય મહાનુભાવોએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આયોજિત જનજાગૃતિ રેલી સહિતના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.