સાબરકાંઠા : ટામેટાના પાકના મબલખ ઉત્પાદન સામે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો બન્યા લાચાર

સાબરકાંઠા જિલ્લામાં ઇડર અને વડાલી પંથકમાં મોટા પાયે ખેડૂતો ટામેટાનું વાવેતર કરે છે. જોકે ટામેટાનો ભાવ પ્રતિ કિલોએ રૂપિયા 3 થી 4 થઈ જતા ખેડૂતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

New Update
  • ખેડૂતોને મહામુલા ટામેટાનો ભાવ ન મળતા રોષ

  • પ્રતિ કિલોએ રૂ.3 થી 4 થઇ જતા ખેડૂતોની હાલત દયનીય બની

  • જગતના તાતને પારાવાર નુકસાની વેઠવી પડી

  • ટામેટાના પાકના ઉજ્જડ જગ્યાએ ખેડૂતોએ કર્યા ઢગલા

  • ખેડૂતો માટે સર્જાય વિપરીત પરિસ્થિતિ

સાબરકાંઠા જિલ્લામાં ઇડર અને વડાલી પંથકમાં મોટા પાયે ખેડૂતો ટામેટાનું વાવેતર કરે છે. જોકે ટામેટાનો ભાવ પ્રતિ કિલોએ રૂપિયા 3 થી 4 થઈ જતા ખેડૂતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો તેમનો પાક રસ્તે રઝળતો મૂકી દે તો પણ નવાઈ નહીં.

સાબરકાંઠા જિલ્લામાં ઇડર તેમજ વડાલી પંથક શાકભાજી સહિત ટામેટાના પાક માટે પ્રખ્યાત છે.અહીંથી પ્રતિદિન મોટી માત્રામાં ટામેટાનો પાક ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાં મોકલવામાં આવે આવે છે.જોકે ટામેટાના પાકમાં અચાનક કડાકો બોલાયો છે.છેલ્લા એક સપ્તાહમાં પ્રતિ કિલો ટામેટાનો ભાવ રૂપિયા 3 થી 4 થઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.પ્રતિ 20 કિલોએ ટામેટાનો ભાવ રૂપિયા 60 થી 80 બોલાઈ જતા ખેડૂતોએ પકવેલો પાક હવે રસ્તે રઝળતો કરવો પડે તેવી સ્થિતિ છે.એક તરફ મોંઘા દવા બિયારણ સહિત મજૂરીનો ખર્ચ વધી રહ્યો છે,તો બીજી તરફ શાકભાજીના ભાવમાં કડાકો બોલી જતા ખેડૂતો માટે પણ વિપરીત પરિસ્થિતિ નિર્માણ પામી છે.

જોકે એક તરફ ખેતીપ્રધાન દેશ હોવાની સાથોસાથ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની સ્થિતિ બેહાલ બની રહી છે,તેમજ પોષણક્ષમ ભાવ ન મળવાના પગલે ખેડૂત આલમમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હાલમાં ખેડૂતોએ પોતાનો પાક વેરાન તેમજ ઉજ્જડ જગ્યાઓમાં ઢગલા કરી રહ્યા છે.જેથી ખેડૂત આલમને પારાવાર નુકસાનની સાથોસાથ આર્થિક દ્રષ્ટિએ પણ નુકસાન થઈ રહ્યું છે.જોકે આગામી સમયમાં ખેડૂતોના પોષણક્ષમ ભાવના મામલે ચોક્કસ પગલા ન લેવાય તો ખેડૂત આલમ પણ ખેતી સહિતના પાકોનો ત્યાગ કરી શહેરી રોજગાર તરફ વળે તો નવાઈ નહીં.

 

Advertisment
Advertisment
Read the Next Article

ભાવનગર : કમોસમી વરસાદ અને ડુંગળીનાં ભાવ તળિયે જતા ધરતીપુત્રોની હાલત દયનીય બની,ખેડૂતે કર્યો કસ્તુરી સમાન પાકનો નાશ

મહુવા સફેદ ડુંગળીનું પીઠું ગણવામાં આવે છે.પરંતુ હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ નહિ મળવાથી ડુંગળીના પાક પર ખેડૂત દ્વારા રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો

New Update
  • મહુવામાં ખેડૂતોને પડતા પર પાટુ

  • સફેદ ડુંગળીના ભાવ નીચા મળતા નિરાશા

  • કમોસમી વરસાદે પણ ખેડૂતોની મુશ્કેલી વધારી

  • ખેડૂતે રોટવેટર ફેરવીને ડુંગળીનો કર્યો નાશ

  • સરકાર પાસે પોષણક્ષમ ભાવ માટે કરી માંગ

Advertisment

ભાવનગર જિલ્લો ડુંગળી ઉત્પાદનનું મોટું હબ ગણાય છે.જેમાં ખાસ કરીને મહુવા સફેદ ડુંગળીનું પીઠું ગણવામાં આવે છે. પરંતુ હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ નહિ મળવાથી ડુંગળીના પાક પર ખેડૂત દ્વારા રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો હતો.જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ભાવનગર જિલ્લામાં તળાજા,મહુવાગારીયાધાર,સાથે રાજુલા સહિતના વિસ્તારમાં ડુંગળી ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે.જ્યારે મહુવા પંથક અને આસપાસના વિસ્તારમાં સફેદ ડુંગળીનું ઉત્પાદન વધારે કરવામાં આવે છે. તેમજ મહુવામાં ડિહાઇડ્રેશન પ્લાન પુષ્કળ હોવા થી મહુવા માર્કેટિંગ યાર્ડમાં અનેક ખેડૂતો ડુંગળી વેચવા આવતા હોય છે. પરંતુ તાજેતરમાં ડુંગળીની આવક મોટા પ્રમાણમાં થઈ છે.પરંતુ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.

જેને લઈને મહુવાના ઉગલવાણ ગામમાં ખેડૂતોએ સફેદ ડુંગળીના બસોથી ત્રણ સો વિઘાના ડુંગળીના ઉભા પાક પર રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યા છે. જેમાં એક ખેડૂત નો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સતત ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે 1 લાખ 75 હજાર ગુણીની આવક થઇ છે. પરંતુ ગરીબોની કસ્તુરી નો ભાવ પાણી ભાવે અને પડ્યા ઉપર પાટુ પડે એમ હરાજી બોલાઈ છે. ત્યારે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી મહુવા પંથકમાં સફેદ અને લાલ એમ બે વકલમાં તૈયાર થાય છે.મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળીનો ભાવ એક કિલોના 60 પૈસા થી ઉંચો ભાવ 8.95 ભાવ રહ્યો છે.જે ખેડૂતોને બિયારણના ભાવ કરતા પણ ઓછો છે.

મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ સતત નીચા જતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો સમય જોવા મળ્યો છે.અને કમોસમી વરસાદ અને બીજી બાજુ ડુંગળીના ભાવ તળિયે જતા મહુવા માર્કેટીંગ યાર્ડમાં આજરોજ 1 મણનો નીચો ભાવ રૂપિયા 12 થી ઉંચો ભાવ રૂપિયા 170 મળ્યો હતો. જેને લીધે ડુંગળીના ભાવ ખેડૂતની પરેશાનીમાં વધારો કરી રહ્યા છે.

Advertisment