સાબરકાંઠા : હિમંતનગર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગેસ લીકેજથી લાગી આગ,રસોડામાં કામ કરતી ચાર મહિલા સલામત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગેસ લીકેજથી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સ્કૂલના રસોડામાં કામ કરતી ચાર મહિલાનો આબાદ બચાવ થયો હતો.

New Update
  • સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં લાગી આગ

  • આગને પગલે અફરાતફરીનો સર્જાયો માહોલ

  • રાંધણ ગેસ લીકેજ થયા બાદ રસોડામાં લાગી આગ

  • ચાર મહિલાઓનો આબાદ બચાવ

  • ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ

Advertisment

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગેસ લીકેજથી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સ્કૂલના રસોડામાં કામ કરતી ચાર મહિલાનો આબાદ બચાવ થયો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના RTO ચાર રસ્તા નજીક આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.સ્કૂલમાં સેમિનાર હોવાથી રસોડામાં ચાર મહિલાઓ રસોઈ બનાવી રહી હતી.આ દરમિયાન રાંધણ ગેસની પાઈપમાં લીકેજ થતા આગ લાગી હતી.હિંમતનગરમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના રસોડામાં એકાએક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.જ્યારે રસોઈ બનાવવામાં આવી રહી હતી,ત્યારે ગેસની બોટલમાં અચાનક થયેલા લીકેજને કારણે આગ ફાટી નીકળી હતી.

જો કે ઘટનાની જાણ થતા જ સમયસુચકતાથી ચાર મહિલાઓને રસોડાની બહાર કાઢી લેવામાં આવતા જાનહાની પહોંચી નહતી. બનાવ અંગેની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

 

Advertisment
Read the Next Article

બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ સમારોહ-હૈદરાબાદમાં ગુજરાતની કરુણા એમ્બ્યુલન્સ સેવાની નોંધ લેવાય...

ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા "1962-કરુણા એમ્બ્યુલન્સ સેવા"નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા હેઠળ પશુપાલકોને ઘરે બેઠા પશુના ઈલાજની સુવિધા મળે છે

New Update
  • પશુપાલકો માટે કરુણા એમ્બ્યુલન્સ બની સેવા આશાનું કિરણ

  • પોતાના પશુઓના ઈલાજ માટે પશુપાલકોને મોટી રાહત મળી

  • 1962 પર ફોન કરી એમ્બ્યુલન્સને ઘરે બોલાવે છે પશુપાલકો

  • અનેક પશુપાલકોએ રાજ્ય સરકારની ઉત્તમ સેવાનો લાભ લીધો 

Advertisment

 ગુજરાતના પશુપાલકો માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા આશાનું કિરણ બની રહી છે. હવે પશુપાલકો પોતાના પશુઓના ઈલાજ માટે 1962 પર માત્ર ફોન કરીને એમ્બ્યુલન્સને ઘરે બોલાવે છેત્યારે અનેક પશુપાલકો પણ રાજ્ય સરકારની આ ઉત્તમ સેવાનો વિશેષ લાભ લઈ રહ્યા છે.

ઓક્ટોબર-2017ના રોજ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા "1962-કરુણા એમ્બ્યુલન્સ સેવા"નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા હેઠળ પશુપાલકોને ઘરે બેઠા પશુના ઈલાજની સુવિધા મળે છે. આજદિન સુધી હજારો પશુપાલકો આ સેવાનો લાભ લઈ ચુક્યા છે.

નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના પશુપાલક ગુલાબ મગનના વાછરડાને નાભિમાં ઘા હતો. તેને ચાલવામાં તકલીફ પડતી હતી. તેથી તેને હોસ્પિટલે લઈ જવાનું કામ કપરું હતું. આ સંજોગોમાં તેમના માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા ઉપયોગી બની. તેઓએ 1962 પર ફોન કરતાં જ માત્ર 15થી 20 મિનિટમાં એમ્બ્યુલન્સ તેઓના ઘર આંગણે આવી હતીજ્યાં નિષ્ણાંત પશુચિકિત્સકે વાછરડાની સમયસર સારવાર કરી હતી.

જોકેઆ મોબાઇલ એમ્બ્યુલન્સ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં પશુઓના ઓપરેશનથી માંડીને ગંભીર રોગોની સારવાર કરવામાં આવે છે. દરેક એમ્બ્યુલન્સમાં એક વેટરનરી ઓફિસર અને ડ્રેસર હાજર રહે છે. સમગ્ર ગુજરાતમાં હાલ 623 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાંથી 586 એમ્બ્યુલન્સ ગ્રામીણ વિસ્તારોમાં અને 37 એમ્બ્યુલન્સ શહેરી વિસ્તારોમાં પશુઓની સારવાર સેવામાં રહે છે.

હૈદરાબાદમાં યોજાયેલા બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ સમારોહમાં ગુજરાતની આ સેવાની નોંધ લેવામાં આવી હતી. નવસારી જિલ્લાની મોબાઇલ એનિમલ ટીમને બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ એનાયત થયો હતો. આમઆજે શ્વેતક્રાંતિ માટે જાણીતા ગુજરાતની આ સેવા રાષ્ટ્રીય સ્તરે પ્રશંસાપાત્ર બની છે.

Advertisment