સાબરકાંઠા : હિમંતનગર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગેસ લીકેજથી લાગી આગ,રસોડામાં કામ કરતી ચાર મહિલા સલામત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગેસ લીકેજથી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સ્કૂલના રસોડામાં કામ કરતી ચાર મહિલાનો આબાદ બચાવ થયો હતો.

New Update
  • સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં લાગી આગ

  • આગને પગલે અફરાતફરીનો સર્જાયો માહોલ

  • રાંધણ ગેસ લીકેજ થયા બાદ રસોડામાં લાગી આગ

  • ચાર મહિલાઓનો આબાદ બચાવ

  • ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગેસ લીકેજથી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સ્કૂલના રસોડામાં કામ કરતી ચાર મહિલાનો આબાદ બચાવ થયો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના RTO ચાર રસ્તા નજીક આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.સ્કૂલમાં સેમિનાર હોવાથી રસોડામાં ચાર મહિલાઓ રસોઈ બનાવી રહી હતી.આ દરમિયાન રાંધણ ગેસની પાઈપમાં લીકેજ થતા આગ લાગી હતી.હિંમતનગરમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના રસોડામાં એકાએક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.જ્યારે રસોઈ બનાવવામાં આવી રહી હતી,ત્યારે ગેસની બોટલમાં અચાનક થયેલા લીકેજને કારણે આગ ફાટી નીકળી હતી.

જો કે ઘટનાની જાણ થતા જ સમયસુચકતાથી ચાર મહિલાઓને રસોડાની બહાર કાઢી લેવામાં આવતા જાનહાની પહોંચી નહતી. બનાવ અંગેની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

 

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.