સાબરકાંઠા : હિંમતનગર સિવિલ હોસ્પિટલ પાસે ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન,બે વર્ષથી સર્જાયેલી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ

સાબરકાંઠાના હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલની સામે ગટરના પાણીની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ મામલે સ્થાનિક મહિલાઓએ  વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • સિવિલ હોસ્પિટલની બહાર ઉભરાયા ગટરના પાણી

  • બે વર્ષથી આ સમસ્યાથી કંટાળેલી મહિલાઓ બની રણચંડી

  • દુર્ગંધ મારતા પાણીથી સોસાયટીના રહીશો પરેશાન

  • સિવિલના લોકો જ અહીં પાણી ઠાલવી રહ્યા હોવાનો આક્ષેપ

  • પાણી ઉભરાતું બંધ થાય એવી સ્થાનિકોએ કરી માંગ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલ સામે ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન થઇ ગયા છે.પાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે,અનેક રજૂઆત કરવા છતાં પણ પરિણામ ન મળતા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલની સામે ગટરના પાણીની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ મામલે સ્થાનિક મહિલાઓએ  વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ જો સમસ્યાનું નિવારણ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.પાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો.શહેરના મોતીપુરા વિસ્તારમાં નવી સિવિલ હોસ્પિટલની સામે ગટરના પાણી ઉભરાતા હોવાના કારણે સ્થાનિક વેપારીઓ તેમજ અહીંયા વસવાટ કરતા લોકો પરેશાન બની ચૂક્યા છે. એટલું જ નહીં પરંતુ અહીંથી પસાર થતાં લોકો પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.સિવિલની ગટરોનું પાણી સીધું જ બહાર આવતું હોવાનું અને સિવિલના લોકો જ અહીં પાણી ઠાલવી રહ્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. અહીંયા દૂષિત અને દુર્ગંધ મારતા પાણીથી સોસાયટી રહિશો સહિત વેપારીઓ અને અવરજવર કરતા લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છેતો સ્થાનિકો બીમારીનો ભોગ બની રહ્યા છે.

ઉભરાતી ગટરની સમય સામે આ મહિલાઓ એકત્રિત થઈ વિરોધ ઠાલવી રહી છે.અને બે  સોસાયટીઓ અને સામે દુકાનદારો સહિત ખાણીપીણીની દુકાનોમાં ગ્રાહકો પ્રતિદિન આવતા હોય છે અને તેઓ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી આ ગંદકી મામલે સ્થાનિકો દ્વારા હડિયોલ પંચાયતહિંમતનગર નગરપાલિકામાં અનેકવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો ન આવતો હોવાને લઇ પાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.