-
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ
-
ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
-
ખેતરમાં તૈયાર થયેલ પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં ચિંતા
-
કરાં સાથે વરસાદ વરસતા વિવિધ પાકને નુકશાન જવાની ભીતિ
-
કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રોના લલાટે ચિંતાની લકીર
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસમાં કરાં સાથે વરસાદ વરસતા વરિયાળી અને બટાકાના સહિતના અન્ય પાકને નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઇ રહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદના પગલે હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ગાંભોઈ પંથકના સહિત ચાંદરણી, ગાંધીપુરા, મોરડુંગરા, ચાંપલાનાર તેમજ રૂપાલ પંથકના રૂપાલકંપા, બાવસર, ટીંબા કંપા, હાથરોલ ગામોમાં કમોસમી વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતા. જેના કારણે ઘઉં, રાયડો, બટાકા સહિતના રવિ ખેતી પાકોને નુકસાન થવાની શક્યતાથી ખેડૂતોની ચિંતા વધી છે. જોકે, ખેતરમાં તૈયાર થયેલ વિવિધ પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક તરફ શિયાળુ પાકની તૈયારી તો બીજી તરફ વરસાદના કારણે પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે.