સાબરકાંઠા : માનસિક અસ્વસ્થ યુવકના હાથ બાંધીને તેને બેરહેમીથી માર મારવાની ઘટનામાં નોંધાઈ પોલીસ ફરિયાદ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આગીયોલ ગામના રામજી મંદિર પાસે એક માનસિક અસ્વસ્થ યુવકને બાંધીને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

New Update
  • માનસિક અસ્વસ્થ યુવક સાથે અમાનવીય વર્તન

  • મહિલા સાથે ઉંચા અવાજે બોલતા થયો હતો ઝઘડો

  • મહિલા સહિત બે શખ્સોએ યુવકના હાથ બાંધીને માર્યો માર

  • ઘટનાના વિડીયો થયા વાયરલ

  • પોલીસે ફરિયાદ નોંધીને શરૂ કરી તપાસ 

Advertisment

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આગીયોલ ગામના રામજી મંદિર પાસે એક માનસિક અસ્વસ્થ યુવકને બાંધીને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.અને પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આગીયોલ ગામના રામજી મંદિર પાસે એક માનસિક અસ્વસ્થ યુવક નીતિશ કૌશિકકુમાર મહેતા ઉંચા અવાજે બોલતો હતો.રમીલા સુરેશભાઈ નાયીએ તેને ટોકતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.

આ દરમિયાન મંદિરમાંથી બહાર આવેલા જયેશ મંગળદાસ મહેતાએ નીતિશને પકડ્યો હતો. તેના હાથ પાછળના ભાગે કપડાથી બાંધી દીધા હતા. ત્યારબાદ રમીલા અને જયેશે લાકડાના દંડાથી નીતિશને બરડાડાબા હાથ અને શરીર પર માર મારી તેને મંદિરની અંદર બેસાડી રાખ્યો હતો. આ ઘટના અંગે નીતિશના પિતા કૌશિકકુમાર અંબાલાલ મહેતાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જયેશકુમાર મંગળદાસ મહેતા અને રમીલા સુરેશભાઈ નાયી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

Advertisment
Read the Next Article

અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે,ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવાઇ

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે વેરાવળ ફિશરીઝ વિભાગે આ નિર્ણય લીધો

New Update
 cyclone in Arabian Sea

રાજ્યભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો ત્યાર બાદ હવે ગુજરાતમાં ચક્રવાતના સંકટની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી. આ દરમિયાન રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારો એલર્ટ કરી દેવાયા છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવી લેવામાં આવી છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત શરૂ કરવામાં આવી છે.

Advertisment

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે આ નિર્ણય લેવાયો છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરી છે. જિલ્લામાં 7500 પૈકી 504 જેટલી ફિશિંગ બોટો હજુ દરિયામાં છે.

Advertisment