સાબરકાંઠા: જમીન સંપાદનના મુદ્દે ઇડરના ખેડૂતોનો વિરોધ,રેલી કાઢી તંત્રને પાઠવ્યુ આવેદનપત્ર

ઈડરના બડોલીથી મણિયોર ગામની વચ્ચે 170 હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે

New Update
સાબરકાંઠા: જમીન સંપાદનના મુદ્દે ઇડરના ખેડૂતોનો વિરોધ,રેલી કાઢી તંત્રને પાઠવ્યુ આવેદનપત્ર

રાધનપુરથી શામળાજી સુધી નવા બનનારા 168 નંબરના નેશનલ હાઈવે મામલે સાબરકાંઠાના ઇડરના આઠ ગામડાઓના ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું

સાબરકાંઠાના ઈડરના બડોલીથી મણિયોર ગામની વચ્ચે 170 હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે તેમજ 370 જેટલા ખેડૂતો જમીન સંપાદન મુદ્દે વિરોધ નોંધાવી ચૂક્યા છે ત્યારે આગામી સમયમાં નેશનલ હાઇવે પસાર થવા મામલે વિવિધ વિરોધાભાસ સામે આવ્યો છે એક તરફ ઈડર શહેરમાંથી પસાર થવું માથાનો દુખાવો બની ચૂક્યો છે તો બીજી તરફ હવે આઠ જેટલા ગામડાઓમાંથી પસાર થતો નેશનલ હાઈવે વિવાદનું કારણ બની રહ્યો છે હાલમાં 170 હેક્ટર જમીન ઉપર 370 જેટલા ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે સાથો સાથ સંપાદિત થયેલી જમીનમાં દસકુવા તેમજ 25 જેટલા બોરવેલ પણ નિષ્ફળ બને તેમ છે જેના પગલે ખેડૂતોને આગામી સમયમાં ભારે ભોગવવાનું આવે તેવી સ્થિતિ સર્જાય છે જેના પગલે આજે ઈડરની સહકારી જીન ખાતે 8 જેટલા ગામના ખેડૂતોએ વિવિધ રજૂઆતો કરી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. એક તરફ ખેડૂત આલમ વિરોધ નોંધાવી રહ્યું છે તો બીજી તરફ પશુપાલકો માટે પણ જમીન કપાતા ભારે વિરોધ જોવા મળી રહયો છે

Read the Next Article

દ્વારકા : ઓખામાં બોટ રજિસ્ટ્રેશન કૌભાંડમાં પોલીસે બે એજન્ટ સહિત 11 આરોપીઓની કરી ધરપકડ,93 બોટના બનાવટી દસ્તાવેજો મળ્યા

ઓખા મંડળમાં માછીમારી બોટના રજિસ્ટ્રેશન અને કોલ લાયસન્સમાં મોટું કૌભાંડ પકડાયું છે. જિલ્લા એસઓજી પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપી સહિત 11 આરોપીની ધરપકડ કરી

New Update
  • ઓખામાં બોટ રજિસ્ટ્રેશન કૌભાંડનો મામલો

  • એસઓજી પોલીસે કરી કાર્યવાહી

  • બે મુખ્ય સહિત 11 આરોપીની ધરપકડ

  • ખોટા સોગંદનામા બનાવી આચર્યું કૌભાંડ 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં માછીમારી બોટના રજિસ્ટ્રેશન અને કોલ લાયસન્સમાં મોટું કૌભાંડ પકડાયું છે. જિલ્લા એસઓજી પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપી સહિત 11 આરોપીની ધરપકડ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં માછીમારી બોટના રજિસ્ટ્રેશન અને કોલ લાયસન્સમાં મોટું કૌભાંડ પકડાયું છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કેઆરોપીઓએ જૂની માછીમારી બોટ અને બિલ વગર ખરીદેલી બોટ માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. તેઓ ખોટા સોગંદનામા બનાવીને ગેરકાયદેસર રીતે જૂની બોટ માટે નવા કોલ લાયસન્સ મેળવતા હતા.

મુખ્ય આરોપીઓમાં શાફીન સબીરભાઈ ભટ્ટી જે રહેમત ફિશિંગ કન્સલ્ટિંગના માલિક છે,અને સુનિલ મનસુખભાઈ નિમાવત જે રામદૂત ઝેરોક્ષના માલિક છેતેમનો સમાવેશ થાય છે.આમ મુખ્ય બે આરોપીઓ સહિત 11 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એસઓજી વિભાગે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આરોપીઓની ઓફિસમાંથી શંકાસ્પદ કોલ લાયસન્સ અને બનાવટી બિલો જપ્ત કર્યા છે.

આ કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીનેપોલીસે દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગની કાર્યવાહી વધુ સઘન બનાવી છે. આ કૌભાંડની કુલ રકમ આશરે રૂપિયા ત્રણ કરોડ સુધી પહોંચી છે.