સાબરકાંઠા: ઇડરના ગોરલ ગામમાં બે શ્વાનોએ બાળક પર કર્યો હુમલો, માતાએ શ્વાનના મોઢામાંથી દીકરાને ખેંચી જીવ બચાવ્યો

જિલ્લાના ઇડર તાલુકાના ગોરલમાં છેલ્લા ચાર દિવસમાં બે હડકાયા શ્વાન પૈકી એક શ્વાને બે બાળકો સહીત ત્રણ ઉપર હુમલો કર્યો હતો..

New Update
સાબરકાંઠા: ઇડરના ગોરલ ગામમાં બે શ્વાનોએ બાળક પર કર્યો હુમલો, માતાએ શ્વાનના મોઢામાંથી દીકરાને ખેંચી જીવ બચાવ્યો

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગોરલમાં છેલ્લા ચાર દિવસમાં બે હડકાયા શ્વાન પૈકી એક શ્વાને બે બાળકો સહીત ત્રણ ઉપર હુમલો કર્યો હતો. જે હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો. સાબરકાંઠાના ઇડરના ગોરલ ગામમાં બે શ્વાન હડકાયા થયા પછી તેમનો આંતક વધી ગયો હતો.

હડકાયા શ્વાને બે બાળકો સહિત ત્રણ પર હુમલો કરી ઈજાઓ કરી હતી. સાંજે દુકાનેથી ઘરે આવતા સમયે માતા નસરીન મનસુરી સાથે બે વર્ષીય દીકરો ઈજ્હાન પા-પા પગલી કરતો હતો.આ દરમિયાન બે હડકાયા શ્વાને બાળક પર હુમલો કરી મોઢાનો ભાગ પકડી લીધો હતો.તો માતાએ હિંમત રાખીને હડકાયા શ્વાનના મોઢામાંથી પોતાના દીકરાના બે પગ ખેંચી તેને બચાવી લીધો હતો ત્યારે બુમાબુમ થઈ જતાં આસપાસના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

તે બાદ ગંભીર ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક વાહનમાં ભિલોડા ત્રણ રસ્તે કે.એચ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો. બાળકના મોઢા ઉપર એક તરફ આંખ, કાન અને નાક નજીક, ગાલ ઉપર ગંભીર ઈજાઓ થઇ હતી. જેથી તેની સારવાર કરી 80 થી 85 ટાંકા લેવા પડ્યા હતા. જોકે હાલમાં બાળકની સ્થિતિ સારી છે

Read the Next Article

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..

રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા

New Update
  • રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય

  • રાજભવન પરિવારના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતી

  • યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિતોએ સમૂહમાં યોગાભ્યાસ કર્યો

  • યોગને જીવનનો નિયમિત ભાગ બનાવો : આચાર્ય દેવવ્રત 

ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કેયોગને જીવનનો નિયમિત ભાગ બનાવો. વધુમાં તેમણે કહ્યું કેયોગથી જીવનમાં આરોગ્ય અને સુખ તો આવે જ છેસાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.